વૃશ્ચિક રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ મંગળ તારીખ 23 એપ્રિલથીરાશિ પરિવર્તન પામીને પાંચમા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અનુભવો દ્વારા બુદ્ધિ પ્રતિભાને નિખારી શકો. કોઈપણ કાર્ય કે આયોજનને સૂક્ષ્મતા પૂર્વક ઓબ્ઝર્વેશન કરીને સફળ બનવા માટેનું પ્લાનિંગ કરી શકો.સાતમા સ્થાનનનો અધિપતિ શુક્ર તારીખ 24 એપ્રિલથીરાશિ પરિવર્તન પામીને છઠ્ઠા સ્થાનમાં પ્રવેશશે. અહીં દાંપત્યજીવનમાં તથા ભાગીદારો સાથે કોઈ ગેરસમજ સર્જાય નહીં, તેનું ધ્યાન રાખવું. જીવનસાથીને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા નહીં. યોગ્ય કાળજી તથા હૂફ તેમજ લાગણી દ્વારા સાયુજય સ્થાપી શકાય. સપ્તાહની શરૂઆતમાં લાભસ્થાનમાં ગ્રહણયોગ રચતો ચંદ્ર મિત્રો સાથેના વ્યવહારોમાં સાવધાની રાખવાનું સૂચવે છે. બારમા સ્થાનમાં પરિભ્રમણ કરતો ચંદ્ર ધાર્મિક તથા પરોપકારની ભાવના મનમાં વિકસાવી શકે છે. સપ્તાહના મધ્ય ભાગ બાદ આપની રાશિમાં નીચનો ચંદ્ર પસાર થશે. સતત વિચારો કરવાની બદલે કર્મ કરવા તરફ ધ્યાન રાખવું હિતાવહ રહે.સપ્તાહના અંત ભાગમાં બીજા સ્થાનમાં ચંદ્ર ભોજનમાં ઠંડા પદાર્થોથી પરેજી રાખવાનું સૂચવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy