નવી દિલ્હી: શરાબકાંડમાં માર્ચ માસના અંતથી જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના હોદા પરથી રાજીનામુ આપવાનો ઈન્કાર કરતો હતો. તેઓને કોર્ટની આકરી ટીકાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની આકરી ટીકા કરતા કહ્યું કે તેઓને ફકત સતામાંજ રસ છે.
અત્યાર સુધી જેલવાસી મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ કે નહી તે વિવાદથી દુર રહેલી હાઈકોર્ટ અગાઉ આ અંગેની અનેક અરજીઓ ફગાવી હતી પણ પ્રથમ વખત હાઈકોર્ટ હવે આ મુદે કેજરીવાલની આકરી ટીકા કરી છે.
દિલ્હીમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો અને યુનિફોર્મ નહી આપવાના મુદે હાઈકોર્ટમાં થયેલી રીટ મુદે આ વિવાદ બહાર આવ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે તમારા અસીલને (મુખ્યમંત્રીને) વિદ્યાર્થીઓની ચિંતા નથી તેમને ફકત સતામાંજ રસ છે. અમોને એ ખબર પડતી નથી કે તમારે કેટલીક સતા જોઈએ છીએ.
દિલ્હી મ્યુનીસીપલ કમિશ્ર્નર દ્વારા વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો અને યુનિફોર્મ નહી મળવા માટે મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમીટી જ કાર્યરત નહી હોવાનું જણાયુ હતું. દિલ્હીની રાજકીય લડાઈમાં નવા મેયર સહિતની ચુંટણીમાં અટકી છે.
પાઠયપુસ્તક તથા યુનિફોર્મ ખરીદવા માટેના ટેન્કર મંજુર થયા નથી. રૂા.5 કરોડથી વધુના ટેન્ડર મંજુર કરવા માટે ફકત સ્ટેન્ડીંગ કમીટીને જ સતા છે. હાઈકોર્ટે જણાવ્યું કે આ રીતે સતામાં કોઈ શૂન્યાવકાશ થવો જોઈએ નહી.
સરકારે આ પ્રકારની સતા અન્ય કોઈને આપવી જોઈએ. દિલ્હી સરકારના ધારાશાસ્ત્રીએ હાઈકોર્ટને એવું જણાવ્યું કે તેઓને મંત્રી સૌરભ ભારદ્વાજ તરફથી એવી સૂચના મળી છે કે તેઓને મુખ્યમંત્રીની સંમતી જરૂરી છે અને તે હાલ જેલમાં છે.
હાઈકોર્ટે આ તકે જણાવ્યું કે, તમારા મુખ્યમંત્રી કસ્ટડીમાં હોય તેથી સરકાર ચાલે નહી તેવું ઈચ્છે છે પણ તમો અમોને એવા માર્ગે જવા ફરજ પાડો છો જયાં તમને અમો જવા ઈચ્છતા નથી. તેઓએ અહી સૌરભ ભારદ્વાજ પણ ટીકા કરી હતી કે તમો વિદ્યાર્થીઓના મુદે મગરના આંસુ સરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy