(દિપક કનૈયા) બાબરા, તા.11
સુરત લોકસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ હોબાળો મચી જતા તેઓ 22 દિવસ સુધી ગાયબ રહ્યા બાદ જાહેરમાં સામે આવેલા નિલેશ કુંભાણીએ મીડિયા સાથેની વાતચીતમાં હું ગદ્દાર નથી ગદ્દાર તો કોંગ્રેસ છે તેમ જણાવી કોંગ્રેસ આગેવાનો પર આકરા પ્રહારો કર્યો હતા.
સુરત લોકસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીના ફોર્મ રદ્ ના હોબાળા બાદ વિરોધ પ્રદર્શન બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા નિલેશભાઈ કુંભાણી સુરત ખાતે અચાનક મિડિયા સામે આવ્યા હતા અને નિવેદન આપ્યું હતું કે હું ગદ્દાર નથી ગદ્દાર તો કોંગ્રેસ છે 2017 મા મારી ટીકીટ આવી હતી પણ અમુક નેતાઓ એ મારી ટિકીટ રદ્ કરાવી હતી મારી પાસે ફંડ પણ લીધું હતું એ સમયે હું સન્માનનીય નેતાઓ પરેશભાઈ ધાનાણી અને શકિતસિંહ ગોહિલ ના કારણે મૌન રહ્યો હતો.
હાલ મને આપેલી લોકસભાની બેઠક ઉપર આપેલી ટીકીટ જેમાં મારી પાસે કાર્યકરો હતા પણ સુરત ના બની બેઠેલા નેતાઓ વોર્ડ પ્રમુખ કોપોરેટરો શહેર ના આગેવાનો મારી સાથે પ્રચાર નોતા આવતા મારા કાર્યકર્તા મારી સાથે હતા પણ મોટા આગેવાનો ગઠબંધન ના આગેવાનો ના બેનરો મા ફોટા હોવાથી અંદર ખાને મારો વિરોધ કરતા હતા મારું ફોર્મ રદ્ થતાં હું પીટીશન દાખલ કરવા જતો હતો.
ત્યારે ખોટી રીતે કોંગ્રેસ ના આગેવાનો એ મારા ધરે જય મારો વિરોધ કર્યો હતો મારા વિરુદ્ધ બેનરો પ્રદર્શન કરીયા જેથી મેં પણ મારો બદલો લીધો હતો 2017 મા મારી આવેલી ટીકીટ ફોર્મ ભરવા સમયે સુરત ના કોંગ્રેસ ના નેતાઓ ના ઇસારે કેન્સલ કરી હતી ત્યારે પણ સાન્તા બેઠો હતો ક્યારે મેં કોંગ્રેસ નો વિરોધ નથી કર્યો હાલ મારી ઉમેદવારી ફોર્મ પાછળ રદ્ થવા ના કારણો મા મારી કોઈ ભુમિકા નથી.
કોંગ્રેસના માણસ મારો ખોટો વિરોધ કર્યો છે અને મને ધમકી આપવામાં આવે છે મારા અને મારા પરિવાર ની સુરક્ષા ની માગ કરી છે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી નથી કરી પણ કોંગ્રેસના નેતા અને બની બેઠેલા લોકો એ મારી સાથે ગદ્દારી અને સુરત ની જનતા સાથે ગદ્દારી કરી છે.એમ અમારા બાબરા ના પ્રેસ પ્રતિનિધિ દિપકભાઈ કનૈયા સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy