ઈમ્ફાલ: મણીપુરમાં લોકસભા ચુંટણી સમયે જ ફરી હિંસા ભડકી ઉઠી છે અને કુકી ઉગ્રવાદીઓના હુમલામાં અહી ફરજ પર મુકાયેલા કેન્દ્રીય અનામત પોલીસદળના બે જવાનો શહીદ થયા હતા. નારનસેના ક્ષેત્રમાં રાત્રીના 2.15 કલાકે ઉગ્રવાદીઓએ સીઆરપીએફના એક કેમ્પ પર જબરો હુમલો કર્યો હતો.
જેમાં 128મી બટાલીયનના બે જવાનો શહીદ થયા છે અને અન્ય ઘાયલ થયા છે. હજું ગઈકાલે જ અહી લોકસભા ચૂંટણીમાં બીજા તબકકાની એક બાકી રહેલી બેઠક પર મતદાન થયુ હતુ તે અગાઉ પણ તા.16થી રાજયમાં હિંસા વધી છે અને સુરક્ષાદળોના આવાગમન રોકવા અહી ઉગ્રવાદીઓએ અનેક માર્ગો પર વિધાનો ઉભા કર્યા છે.
બુધવારે કાંગપોકસી જીલ્લામાં ઈમ્ફાલ-માઓ માર્ગ પર એક પુલને શક્તિશાળી વિસ્ફોટથી ઉડાવી દેવા આતંકીઓએ પ્રયાસ કર્યો હતો અને તેના કારણે પુલ અડધો ક્ષતિગ્રસ્ત થતા બન્ને તરફ વાહનોનો કાફલો જમા થઈ ગયો હતો. ગત વર્ષે અહી હિંસાનો માહોલ બન્યા બાદ કુકી આતંકવાદીઓ સતત નાના મોટા હુમલા કરી રહ્યા છે
જેમાં હાલના સમયમાં ગઈકાલનો હુમલો સૌથી મોટો છે. શહીદ થયેલા બે જવાનોમાં સીઆરપીએફ સબ ઈન્સ્પેકટર એન.સરકાર અને કોન્સ્ટેબલ અરૂણ સૈનીનો સમાવેશ થાય છે. તેઓ આ કેમ્પની સુરક્ષા માટે તૈનાત હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy