નવી દિલ્હી, તા.26
સુપ્રિમ કોર્ટે આજે ઇવીએમ અંગે આપેલા ચૂકાદાને આવકારતા વડાપ્રધા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ચૂકાદો ઇવીએમ વિરોધી ઇંડી ગઠબંધન પર તમાચો છે.
આજે વડાપ્રધાનએ ચૂંટણી પ્રવાસ દરમ્યાન આજે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે પુરી દુનિયા ભારતની ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરે છે પરંતુ વિપક્ષી ગઠબંધનના લોકો ઇવીએમને લઇને દુષ્પ્રચાર કરતાં રહે છે.
તેઓ ઇવીએમને હટાવવા માંગે છે જેથી બેલેટ પેપરની લૂંટ ચલાવીને તેઓ સત્તામાં આવી શકે પરંતુ દેશ હવે આગળ વધી ગયો છે અને કદી બેલેટ પેપરથી ચૂંટણી નહીં યોજાઇ તે નિશ્ચિત છે.
મોદીએ કહ્યું કે, એક સમયે લોકો ઘરની બહાર મતદાન માટે પણ નીકળી શકતા ન હતા અને લોકોના હાથમાંથી બેલેટ પેપર ઝુંટવીને મત નખાતા હતા પરંતુ ઇવીએમ આવતા બધુ બદલાઇ ગયું છે અને તેથી તેમને ઇવીએમ નડે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy