પંજાબ કિંગ્સનો મુકાબલો કે.કે.આર.સામે થશે

India, Sports | 26 April, 2024 | 03:48 PM
આજે ઈડન ગાર્ડન પર કલકતામાં......
સાંજ સમાચાર

કોલકાતા,તા.26
આજે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો મુકાબલો ઈડન ગાર્ડ્સ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ (કે.કે.આર) સામે થશે. કેકેઆરનું વર્તમાન સિઝનમાં સારું પ્રદર્શન રહ્યું છે અને તેણે સાતમાંથી પાંચ મેચ જીતી છે. તેનાથી વિપરિત, પંજાબની ટીમ ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરતી જોવા મળી છે અને આઠમાંથી છ મેચ હારીને 10 ટીમોની યાદીમાં નવમા સ્થાને છે.

કેકેઆરએ તેના ટોપ ઓર્ડર બેટ્સમેનોના દમ પર અત્યાર સુધી સફળતા હાંસલ કરી છે. તેમની પાસે હવે પંજાબ કિંગ્સના રૂપમાં એક નબળો પ્રતિસ્પર્ધી છે, જે શશાંક સિંહ અને આશુતોષ શર્માના શાનદાર પ્રદર્શન છતાં સારું રમી શક્યા નથી. પંજાબ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે.

નારાયણની શાર્પ બેટિંગ 
કેકેઆર માટે ટોપ ઓર્ડરમાં સુનીલ નારાયણ (176.54ના સ્ટ્રાઈક રેટથી 286 રન) અને ફિલ સોલ્ટ (169.38ના સ્ટ્રાઈક રેટથી 249 રન)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. આન્દ્રે રસેલ (184.52ના સ્ટ્રાઈક રેટથી 155 રન) અને કેપ્ટન શ્રેયસ અય્યર (126ના સ્ટ્રાઈક રેટથી 190 રન)એ પણ રન બનાવ્યા છે. રિંકુ સિંહે ટૂર્નામેન્ટમાં સાત મેચમાં માત્ર 67 બોલ રમ્યા છે અને 160ની નજીક રન બનાવ્યા છે.

પંજાબ માટે વિજય જરૂરી: જો પંજાબ કિંગ્સે જીતના માર્ગે પરત ફરવું હોય તો તેણે કેકેઆપની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવવો પડશે. પંજાબના ટોપ ઓર્ડર બેટ્સમેન પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, રિલે રૂસો અને જોની બેરસ્ટો ફોર્મમાં નથી. આશુતોષ અને શશાંકના બેટમાંથી જ રન આવી રહ્યા છે. પંજાબ કેમ્પને આશા હશે કે તેમનો નિયમિત કેપ્ટન શિખર ધવન ખભાની ઈજામાંથી સાજા થયા બાદ ઝડપી પુનરાગમન કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj