ઇન્દોર, તા.29
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સુરત સંસદીય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપને આ બેઠક બિન હરિફ મળી ગઇ છે અને તેવી જ સ્થિતિ મધ્યપ્રદેશના ઇન્દોરમાં સર્જાઇ રહી છે. આ લોકસભા બેઠક લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી સામે કોઇ મોટો પડકાર રહ્યો નથી.
હવે અહીં જે અપક્ષો છે તેઓ પણ ઉમેદવારી પાછી ખેંચી લે તો ભાજપ માટે લોકસભામાં વધુ એક બેઠક બિનહરિફ મળી જાય તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. સુરતમાં તો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા પાછળ ભાજપની જ ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઇન્દોરમાં મતદાનના 14 દિવસ પહેલા આજે ફોર્મ પાછા ખેંચવાના આખરી દિને કોંગ્રેસના અક્ષય કાંતિ બમ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી લીધું હતું.
રાષ્ટ્રીય મહાસચિવ અને મધ્ય પ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજય વર્ગીયએ આ ઓપરેશન પાર પાડ્યું હોવાનું મનાય છે. તેમની એક તસ્વીર પણ વાઇરલ થઇ છે જેમાં કૈલાશ વિજય વર્ગીય સાથે કોંગ્રેસના અક્ષય કાંતિ બમ નજરે ચડે છે અને ઉમેદવારી પાછી ખેંચવા સમયે તેઓ સાથે હતા અને તેઓ ગમે તે સમયે ભાજપમાં ભળી જશે.
કૈલાશ વિજય વર્ગીયએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ઇન્દોર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમનું ભાજપમાં સ્વાગત હોવાનું લખ્યું હતું. હવે સાંજ સુધીમાં આ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે. સુરતની માફક જ ઇન્દોરની એક હોટલમાં આ પ્લાન કર્યો હતો. જો કે હજુ કુલ 20 ઉમેદવારો મેદાનમાં છે અને તેથી ભાજપને તેટલા અપક્ષો અને બસપા સહિતના નાના પક્ષોને સમજાવવાનું મુશ્કેલ બની શકે છે.
બીજી તરફ ઇન્દોરના ધારાસભ્ય રમેશ મેંદોલાએ પણ તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોતાની મોદી કા પરિવાર દર્શાવીને કમળનું ફુલ પણ મુક્યું છે. આમ તેઓ પણ ભાજપમાં જોડાઇ જશે તેવા સંકેત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy