રાજકોટ. તા.27
જેતપુરના અમરનગરમાં ખેતરના શેઢા પ્રશ્ને વૃધ્ધ ખેડૂત પર કૌટુંબિક ભત્રીજા સહિત ચાર શખ્સોએ પાઈપ અને ધારીયાથી હુમલો કરતાં ખેડૂતને ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડયા હતા. બનાવ અંગે
જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે જેતપુરના અમરનગરમાં વડાલીયા શેરીમાં રહેતાં છગનભાઇ ડાયાભાઇ મોરબીયા (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે
સુનીલ ચંદુ મોરબીયા, રાહુલ ચંદુ મોરબીયા, કરશન નાનજી મોરબીયા અને ગીરધર રવજી મોરબીયાનું નામ આપતાં જેતપુર પોલીસે આઇપીસી 325,323,504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને અગીયાર વીઘા જમીન અમરનગર-દેવળા રોડ પર 11 વિઘા જમીન આવેલી છે. ગઈ તા.25/04 ના સાંજના છ વાગ્યે તેઓ બાઇકમાં વાડીયે માલઢોરને નિરણ પુળો કરવા ગયેલો અને બાદમાં ખેતરથી નીકળેલ થોડે દુર જતા રસ્તામાં તેના સગા કાકાના પુત્રનો પુત્ર સુનીલ મોરબીયા રસ્તામાં ઉભેલ હતો અને તેની નજીક જતા તેને પાઇપનો છુટો ઘા કરતા તેઓને હાથે ઇજા પહોંચી હતી. પરંતુ તેઓએ બાઈક ઉભી રાખેલ નહિ અને સ્પીડથી ગામ તરફ ભાગવા લાગેલ ત્યારે ગામમાં વેણના કાંઠે પહોંચતા રસ્તામાં સુનિલનો રાહુલ મોરબીયા ત્યાં ઉભેલ હોય અને સુનીલ પણ
પાછળથી દોડી આવેલ અને ત્યાં પહેલેથી જ તેના કુટુંબી કરસન મોરબીયા, ગીરધર મોરબીયા પણ ત્યાં હથિયારો સાથે ઉભેલ હતાં.
દરમિયાન ચારેય આરોપી તેઓને ગાળો દેવા લાગેલા અને સુનીલ તેમજ રાહુલ બન્ને લોખંડના પાઈપથી આડેધડ મારમારવા લાગેલા હતાં. હુમલામાં તેઓને ગંભીર ઇજા પહોંચતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતાં. દરમિયાન તેઓના પરિવારજનો આવી જતાં ચારેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવારમાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.
વધુમાં ઇજાગ્રસ્તે બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, આરોપીઓ સાથે બે-ત્રણ વર્ષથી ખેતરના સેઢા બાબતે મન-દુખ ચાલે છે અને અગાઉ બે-ત્રણ વાર માથાકુટ પણ થયેલી પરંતુત્યારે કોઇ ફરીયાદ કરેલ ન હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy