નવી દિલ્હી : અનુભવી ઓલરાઉન્ડર યુવરાજસિંહે સૂર્યકુમાર યાદવ અને જસપ્રિતને આગામી ટી-20 વર્લ્ડ કપમાં ટીમની તકો માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે. તેણે કહ્યું કે, તે કોઈપણ સમયે મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. યુવરાજે કહ્યું કે ટીમને બીજી વખત આ ટ્રોફી જીતવા માટે સૂર્યકુમારે સારું પ્રદર્શન કરવું પડશે અને બુમરાહે પણ તેની શ્રેષ્ઠ બોલિંગ કરવી પડશે.
યુવીએ કહ્યું, સૂર્યકુમાર યાદવ જે રીતે રમે છે, તે માત્ર 15 બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. જો ભારતે આ ઝ20 વર્લ્ડ કપ જીતવો હોય તો તે ચોક્કસપણે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. યુવરાજે ટી20 વર્લ્ડ કપ જીત્યો છે.
યુવરાજે વધુમાં કહ્યું, બોલિંગમાં જસપ્રીત બુમરાહ પણ ખૂબ મહત્વનો રહેશે. હું યુઝવેન્દ્ર ચહલ જેવા લેગ સ્પિનરને પણ ટીમમાં જોવા માંગુ છું કારણ કે તે અત્યારે સારી બોલિંગ કરી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy