બાગેશ્વરધામ તા.26
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનોભાઈ શાલિગ રામ ગર્ગ ફરી સમાચારોમાં આવ્યો છે. આ વખતે તેની સામે ટોલ પ્લાઝાના કર્મચારીઓની મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે.
છતરપુર પોલીસે શાલિગ રામ સહિત 11 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના બાદ શાલિગ રામ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા છે.
જાણકારી મુજબ શાલિગ ગુરુવારે સાગર રોડ પર મુગધારી ટોલ પ્લાઝા તરફ જતા હતા ત્યારે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ તેની ગાડી રોકી તો શાલિગને ગુસ્સો આવ્યો અને તેણે અને તેના સાથીઓએ ટોલ કર્મચારીઓની મારપીટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. ટોલ પ્લાઝાના કર્મચારીઓની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy