રાષ્ટ્રીય નેતાઓના આગમનથી સૌરાષ્ટ્રમાં હવે પ્રચારનો પારો પણ ઉંચો જશે

VIDEO : અમીત શાહ જામકંડોરણામાં: પ્રચારનો શંખનાદ

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 27 April, 2024 | 12:10 PM
♦ પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના ટેકામાં જંગી સભાને સંબોધન: ખુલ્લી જીપમાં સભા સ્થળે પહોંચ્યા: હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું
સાંજ સમાચાર

♦ મનસુખભાઈ જેવા મજબૂત પ્રતિનિધિ આ મતક્ષેત્રને મળ્યા છે: કેન્દ્રીય આરોગ્યમંત્રીની કોરોનાકાળની કામગીરીને યાદ કરાવતા ગૃહમંત્રી 

♦ વાતાવરણમાં અબ કી બાર 400 ને પારનો નારો છે: મનસુખભાઈ માંડવીયા: અમીતભાઈનું આગમન મતક્ષેત્રને કમળમય કરશે: જયેશ રાદડીયા

રાજકોટ: ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર બિનહરીફ વિજેતા બન્યા બાદ હવે રાજયમાં 26 બેઠકો જીતવાની હેટ્રીક સર્જવા આગળ વધી રહેલા ભાજપના પ્રચારમાં આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ જોડાયા છે અને આજે તમામે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાના ટેકામાં જામકંડોરણા ખાતે વિશાળ રેલીને સંબોધતા તમામે સૌરાષ્ટ્રના લોકોને કોરોનાકાળમાં આરોગ્યમંત્રી તરીકે મનસુખભાઈ માંડવીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે કામગીરી કરી લાખો જીવન બચાવ્યા તે યાદ કરાવતા જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા ક્ષેત્રને એક સક્ષમ જનપ્રતિનિધિ ચુંટી કાઢવાની તક ભાજપે આપી છે અને આજે જે વિશાળ મેદની ઉપસ્થિત છે તેના પછી હવે તા.7ના મતદાનનો જ આપણને સૌને ‘કમળ’ને ચુંટી કાઢવાનો ઉત્સાહ છે તે મને ખાતરી છે. 

આજે સવારે ખાસ હેલીકોપ્ટર મારફત જામકંડોરણા પહોચતા જ ભાજપના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા- ધોરાજી-જેતપુર વિસ્તારના યુવા ધારાસભ્ય શ્રી જયેશ રાદડીયા તથા ભાજપના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યુ હોય આ અગાઉ શ્રી રાદડીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે જામકંડોરણાની ધરતી જે સેવા માટે જાણીતી છે તેના પર કેન્દ્રીય ગૃહ તથા સરકાર બાબતોના મંત્રી અમીતભાઈ શાહનું આગમન એ આપણા સૌ માટે પ્રોત્સાહક છે અને પોરબંદર મતક્ષેત્રમાંજ 1 લાખથી વધુ લોકો અમીતભાઈને આવકારવા આતુર છે.

LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પોરબંદર લોકસભાની વિજય સંકલ્પ સભા. સ્થળ: જામકંડોરણા, જિ.રાજકોટ https://t.co/f0fWjU1iIf

— BJP Gujarat (@BJP4Gujarat) April 27, 2024

શ્રી શાહના આગમન બાદ તેઓને ખુલ્લી જીપમાં સભા સ્થળે લઈ જવાયા હતા જયાં રોડના બન્ને તરફ લોકોએ શ્રી શાહનું અભિવાદન કર્યુ હતું. શ્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે જનપ્રતિનિધિ તરીકે અને પોરબંદરના લોકોની સેવા કરવાની તક મળી છે તે માટે હું સદનસીબ છું અને અહી લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અબ કી બાર 400 કે પારના નારાને વાસ્તવિકતા બનાવવા થનગની રહ્યા છે.

શ્રી શાહે જણાવ્યું કે 2022માં ગુજરાતની જનતાએ ભાજપને 156 બેઠકો પર વિજેતા બનાવીને ઈતિહાસ સર્જયો પછી હવે દેશમાં 400ને પારનો ઉત્સાહ જોવા મળે છે અને તા.4ના રોજ પણ એક ઈતિહાસ સર્જાશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે 10 વર્ષમાં ભારતે એક વિકસીત સ્પષ્ટ બનવાની દૌટ મુકી છે તેવા આપણે સૌએ સાથ આપવાનો છે અને ગુજરાત એ હેટ્રીક માટે પ્રથમ બેઠક ભાજપને બિનહરીફ આપીને દેશમાં રેકોર્ડ બનાવ્યા છે. 

તેઓએ મહાત્મા ગાંધીની આ જન્મભૂમિના મતક્ષેત્રમાં વિઠ્ઠલભાઈ રાદડીયાને પણ યાદ કર્યા હતા અને જણાવ્યું કે પોરબંદર હવે વિકાસની એક નવી ઉંચાઈએ લઈ જવા અમારા સાથી મનસુખભાઈ માંડવીયા આતુર છે અને તેઓ પાંચ લાખથી વધુની બહુમતીએ જીતશે તેવું હું સભામાં હાજર રહેલા લોકોના ઉત્સાહ પરથી વિશ્ર્વાસપૂર્વક કહી શકું છું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj