નવી દિલ્હી, તા.29
દિલ્હીની કથિત શરાબ એકસાઇઝ ડ્યુટીમાં મની લોન્ડ્રીંગ કૌભાંડના આરોપમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને તિહાર જેલ ખાતે આમ આદમી પાર્ટીના મંત્રી આતિશી અને કેજરીવાલના પત્ની સુનીતા મળ્યા હતા.
આ મામલે મંત્રી આતિશીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કેજરીવાલને મળતા અમે તેમના હાલચાલ પૂછયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આપ લોકો મારી ચિંતા ન કરો, બસ દિલ્હીના લોકોની ચિંતા કરો અને તેમનો ખ્યાલ રાખો.
આતિશીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કેજરીવાલે મારી પાસેથી દિલ્હીની જનતાને મળતી તમામ સુવિધાના હાલ જાણ્યા હતા અને નિર્દેશ કર્યો હતો કે ગરમીમાં કોઇને પાણીની અછત ન થવી જોઇએ. તેમણે મોહલ્લા ક્લિનિક, શાળાના બાળકોના ભણતર વિષે પણ પૂછ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ખૂબ જ જલ્દી જેલમાંથી બહાર આવીશ અને દિલ્હીની માતાઓ-બહેનોને 1000 રૂપિયા સન્માન રકમ આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy