લોકો ગમે તે કહે, હું મારી રમત સારી રીતે જાણું છું: વિરાટ

India, Gujarat, Sports | Ahmedabad | 29 April, 2024 | 05:25 PM
સાંજ સમાચાર

અમદાવાદ: વિરાટ કોહલીએ ભીની ઓવરોમાં સ્પિનરો સામેના તેના સ્ટ્રાઈક રેટને લઈને ચાલી રહેલી ચર્ચાને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે તે તેની રમતને તેના પર સવાલ ઉઠાવનારાઓ કરતાં વધુ સારી રીતે સમજે છે. વિરાટે ગુજરાત ટાઈટન્સ સામેની નવ વિકેટે જીતમાં 44 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા.

અનુભવી સુનીલ ગાવસ્કરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 43 બોલમાં 51 રનની ઈનિંગમાં સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા હતા. વિરાટે કહ્યું, ‘છેલ્લા 15 વર્ષથી રમવાનું એક કારણ છે. હું માત્ર મારું કામ કરું છું અને એ જ રીતે હું રમું. લોકો ગમે તે કહે, પરંતુ હું મારી રમત સારી રીતે જાણું છું.

રવિવારે જીત મળી છતાં વિરાટની ટીમ મેચમાં માત્ર ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. વિરાટે કહ્યું, ‘અમે સ્વાભિમાન માટે રમવા માંગતા હતા. આ વખતની આઈપીએલ મેચોમાં અમારી ટીમ જાણીએ છીએ કે સારો દેખાવ કરી શકેલ નથી.

ગુજરાતના કેપ્ટન શુભમન ગીલે કહ્યું, ‘અમારે વધુ સારી વ્યુહરચના સાથે આવવું પડશે. અંતે 20 ઓવરમાં કેટલા રન બને છે તે મહત્વનું છે. અમે છેલ્લી ઓવરોમાં પણ વિકેટ લઈએ છીએ. જે આ મેચમાં લઈ ન શકયા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj