નવી દિલ્હી, તા.29
લોકસભા ચૂંટણીમાં હવે એક બાદ એક તબકકામાં રસપ્રદ જંગના સંકેત છે. તે વચ્ચે આજે ગાંધી કુટુંબની એક સમયની પરંપરાગત મનાતી અમેઠીની બેઠક પર ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીને પરાજીત કરનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે રોડ શો અને ખુદ મોટર-બાઇકની સવારી કરીને ઉમેદવારી નોંધાવી હતી તો બીજી તરફ રાજ્યની લખનઉ બેઠક પર કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહએ પણ જબરો રોડ શો કરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે તો બીજી અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને ઉમેદવારી માટે જણાવે છે કે કેમ તેના પર નજર છે.
સ્મૃતિ ઇરાનીએ અગાઉ જ રાહુલને પડકાર ફેંક્યો છે અને અમેઠી બેઠક પર ચૂંટણી લડવા આવવા આમંત્રણ આપ્યું છે. સ્મૃતિ ઇરાનીએ આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરતા પૂર્વે તેમના નવા નિર્મિત આવાસમાં પૂજા-અર્ચના કરી હતી હાલમાં જ તેણે આ આવાસનું વાસ્તુ પણ કર્યું હતું અને આજે તેઓ ઉમેદવારી નોંધાવતા સમયે સ્કૂટર પર સ્વાર થયા હતા તે વિડીયો પણ વાયરલ થયો છે તો બીજી તરફ રાજનાથસિંહએ લખનઉ લોકસભા બેઠક પર રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી છે અને તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. રાજનાથનો આ રોડ શો ભવ્ય રહ્યો હતો.
► રાહુલ અને પ્રિયંકાની ઉમેદવારી અંગે આજે નિર્ણયનો સંકેત
લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત અમેઠી બેઠક પર ફરી ચૂંટણી લડવાનું પસંદ કરશે કે કેમ તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે તો રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવા જશે કે કોંગ્રેસ અન્ય કોઇને ટીકીટ આપે છે.
તે અંગે હજુ કોઇ સંકેત આપ્યો નથી પરંતુ માનવામાં આવે છે કે આજે આ અંગે કોંગ્રેસ નિર્ણય લઇ લેશે. સુત્રોના જણાવ્યા મુજબ કેરલની વાયનાડ બેઠક પર લડી રહેલા રાહુલ ગાંધી ઇચ્છતા હતા કે જ્યાં સુધી વાયનાડમાં મતદાન પૂર્ણ ન થાય તે સુધી અમેઠી અંગે નિર્ણય નહીં લે, જો રાહુલ અમેઠી પર લડશે તેવી જાહેરાત થાય તો વાયનાડમાં તેના રાજકીય પ્રત્યાઘાત પડી શકે છે. હવે જ્યારે આ બેઠક પર મતદાન સંપન્ન થઇ ગયું છે. પછી આજે સાંજ સુધીમાં અમેઠી ઉપરાંત રાયબરેલી અંગે કોંગ્રેસ નિર્ણય લેશે તે માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy