રાજકોટ, તા.23
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, 9/18 લક્ષ્મીવાડી, મિલપરા મેઇન રોડ ખાતે તા.31થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અન્નક્ષેત્ર તેમજ જરૂરીયાતમંદના લાભાર્થે તા.31 થી તા.6 જુન સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા.31ને શુક્રવારે દેવી-દેવતાઓનું પૂજન કરાશે, તથા પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. તા.1ને શનિવારે સાંજે 5-30 કલાકે કપિલ જન્મ, તા.2ને શ્રી નૃસિંહ પ્રાગટ્ય સાંજે 6 કલાકે, તા.3ને સાંજે 6-30 કલાકે શ્રી રામજન્મ તથા શ્રી કૃષ્ણ જન્મ, તા.4ને શ્રી ગીરીરાજ ઉત્સવ, તા.5ને રૂક્ષ્મણી વિવાહ સાંજે 5 કલાકે, તા.6ને સુદામા ચરિત્ર, પરિક્ષિત મોક્ષ સાંજે 6-30 કલાકે સહિત ભાગવત કથાના માંગલિક પ્રસંગો ઉજવાશે.
બોલબાલા ટ્રસ્ટના 34મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર કથાકાર જાન્હવીબેન પંડ્યા (ભગગામ બીલખા) કથાનું રસપાન કરાવશે. કથાનો સમય બપોરે 3 થી 7નો રહેશે. કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy