મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-મહબૂબનગર વચ્ચે ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેન 24 જૂન, 2024 સુધી મહબૂબનગરને બદલે જડચર્લા સ્ટેશન સુધી જશે. સિકંદરાબાદ-મહબૂબનગર સેક્શનમાં ટ્રેનોના ભારે ધસારાને કારણે રેલવે પ્રશાસને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જડચર્લા અને મહબૂબનગર વચ્ચેનું અંતર 17 કિલોમીટર છે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં
1) ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ 29 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 દરમિયાન દર સોમવારે રાજકોટથી ઉપડશે અને જડચર્લા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે, આ ટ્રેન જડચર્લા-મહબૂબનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 30 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 દરમિયાન દર રવિવારે મહબૂબનગરને બદલે જડચર્લા સ્ટેશનથી ઉપડશે. આ રીતે, આ ટ્રેન મહબૂબનગર-જડચર્લા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy