નવી દિલ્હી, તા.23
એક સમયના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ત્યારબાદ કોંગ્રેસનો છેડો ફાડનાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ ‘મહાપુરુષ’ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે મહાત્મા ગાંધીજીનો હવાલો આપીને કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સપનું જોયું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઇએ. જે કામ ભાજપ પણ ન કરી શકી તે કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે.
પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે માત્ર હું જ નહીં દેશના કરોડો કોંગ્રેસ કાર્યકર્તા એ વાતથી વાકેફ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. 4 જૂન બાદ કોંગ્રેસ અત્યાર સુધીની સૌથી ઓછી સીટ જીતનારી પાર્ટી બનશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy