નવી દિલ્હી: દેશમાં હવે મુસ્લીમ સમાજ ભાજપના ટાર્ગેટમાં આવ્યા છે અને કોંગ્રેસ તમારી મિલ્કતો છીનવી લઈને વધુ બાળકોવાળા પરિવારને સોંપી દેશે તેવા જે વિધાનો કર્યા તે પણ મુસ્લીમ સમુદાયનો ઉલ્લેખ હતો. તેવું માનવામાં આવે છે તે વચ્ચે મજલીસ એ ઈતેહાદુલ મુસલમીનના વડા અસદુદીન ઔવેસીએ વળતો જવાબ આપતા કહ્યું કે મુસ્લીમોનો વસતિ વધારાનો ગ્રાફ ઘટયા છે અને હવે મને એ કરતા જરાપણ સંકોચ નથી કે મોટાભાગના મુસ્લીમ પુરૂષો હવે કોન્ડોમનો ઉપયોગ કરે છે.
તેણે મોદીના ભાષણને લોકોમાં ભાગલા પાડનારા અને ધિકકાર ભર્યા ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે મોદી ફકત મુસ્લીમો અને દલિતો પ્રત્યે ધિકારની જ ગેરેન્ટી આપે છે. તેઓ ઠસાવવા માંગે છે કે એક દિવસ દેશમાં મુસ્લીમોની બહુમતી થઈ જશે પણ હું તેમને કહેવા માંગુ છું કે તેઓ કયા સુધી મુસ્લીમો માટે ભય રાખી શકો છો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy