વકીલ હારૂન પલેજા હત્યા કેસના આરોપીની જામીન અરજી રદ્દ

Crime | Jamnagar | 22 May, 2024 | 01:48 PM
અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લેવાનો ઇરાદો દેખાડી કરેલી ત્રણ અઠવાડિયા માટેની જામીન માટેની અરજી અદાલતે રદ્દ કરી
સાંજ સમાચાર

જામનગર તા.22
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં થયેલી વકીલની હત્યા કેસમાં પકડાયેલા 15 આરોપીઓ પૈકીના એક આરોપીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ત્રણ અઠવાડિયાની જામીન અરજી કરી હતી. જેને અદાલતે રદ કરી છે.

જામનગરના એડવોકેટ હારૂન પાલેજાની ગત તારીખ 13 માર્ચના રોજ બેડેશ્વર વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજવવામાં આવી હતી. આ અંગે 15 આરોપીઓ સામે પોલીસના ફરિયાદ નોંધાતા પોલીસે હત્યા સહિતની કલમ મુજબ ગુનો નોંધી એક પછી એક તમામ 15 આરોપીને પકડી પાડયા હતા અને જેમને જેલ હવાલે કર્યા હતા. આ 15 આરોપીઓ પૈકીના એક આરોપી ઉમર ઓસમાણ ચામડીયાએ ત્રણ અઠવાડિયા માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટેના મુદ્દા હેઠળ અદાલતમાં જામીન અરજી કરી હતી.

જેની સામે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ દલીલો કરી હતી કે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. અને જો આરોપીના જામીન મંજુર થશે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. આથી તેમને જામીન આપવા જોઈએ નહીં. તમામ દલીલો સાંભળ્યા પછી એડિશનલ સેન્સ જજ એમ.આર ચૌધરી એ આરોપીની જામીન અરજીના મંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ કે. ભંડેરી રોકાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj