નવી દિલ્હી,તા.29
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના અનામત અંગે એક બનાવટી વિડીયોના મુદે દિલ્હી પોલીસ એકશનમાં આવી ગઈ છે અને તપાસ છેક તેલંગાણા સુધી લંબાઈ છે તથા તેલંગાણાના મુખ્યમંત્રી ઉપરાંત તેલંગાણા કોંગ્રેસની ભૂમિકા પણ તપાસાશે. એક વિડીયોમાં અમીત શાહને એવું કહેતા દર્શાવાયા છે કે તેઓ એસટી, એસસી અને ઓબીસી અનામત દુર કરવાની વાત કરી રહ્યા છે.
જયારે વાસ્તવમાં અમીત શાહે આ પ્રકારની વાત કે ચર્ચા કરી નથી. આ એડીટેડ વિડીયોમાં એવું કહેતા દર્શાવાયા છે કે જો ભાજપની સરકાર બનશે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીની અનામતને ગેરબંધારણીય ગણાવીને ખત્મ કરવામાં આવશે. જો કે વાસ્તવમાં અમીતશાહે કદી આવી વાત કરી નથી. તેઓએ ફકત મુસ્લીમ અનામતને ગેરબંધારણીય ગણાવી હતી.
એવું પણ કહ્યું હતું કે, તેલંગાણામાં એસટી, એસસી અને ઓબીસી સમુદાય જે અનામતના હકકદાર છે તે અનામત રાજયની સરકાર મુસ્લીમોને આપી રહી છે. આમ યુટયુબ પરના અનેક વિડીયોમાં તેઓ ફકત મુસ્લીમ અનામતને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે જયારે અન્ય સમાજની અનામતને ઘટાડવાંની કે દુર કરવાની કોઈ વાત જ કરી નથી પરંતુ તેમના મૂળ વિડીયોમાં ચેડા કરીને આ પ્રકારના શબ્દો ઉમેરાયા છે.
દિલ્હી પોલીસે આ અંગે એક ખાસ તપાસ ટીમ બનાવી છે અને તે હૈદરાબાદ રવાના થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ હૈદરાબાદમાં આ અંગે કોંગ્રેસની ઓફિસમાં પણ તપાસ થશે અને રાજયના મુખ્યમંત્રીને પણ આ અંગે નોટીસ આપવામાં આવશે. તેઓએ પોતાના ભાષણમા આ પ્રકારના વિડીયોનો ઉલ્લેખ કર્યો હોય તેવું મનાય છે.
મોદીની સરખામણી કોબ્રા સાથે કરતા તેલંગાણાના મુખ્યમંત્રી
હૈદરાબાદ,તા.29
તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવન્થ રેડ્ડી જેઓએ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા ભાઈ તરીકે ગણાવ્યા હતા. તેઓએ હવે વડાપ્રધાન મોદીની સરખામણી એક કોબ્રા સાથે કરી છે અને કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જે પરાજય મળ્યો છે તે મોદી ભુલ્યા નથી અને તેઓ ફરી તેલંગાણાને ડંખવા આવશે.
તેઓએ એક ચુંટણી સભામાં ઝહીરાબાદમાં આ નિવેદન કર્યુ હતું અને કહ્યું કે મોદી 400 બેઠકોની વાત કરે છે પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણામાં જે પરાજય મળ્યો તે ભુલશે નહી અને ફરી તે તેલંગાણાને ડંખ મારવા આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy