રાજકોટ તા.23
રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજયના ઉર્જા મંત્રીને અનુરોધ કરી ગુજરાતમાં વિવિધ જીલ્લામાં મુકાતા સ્માર્ટ મીટર સામે ઉભો થયેલ વીજ ગ્રાહકોના રોષને ધ્યાને લઈ સ્માર્ટ મીટરનો નિર્ણય આગામી ત્રણ વર્ષ સુધી મુલત્વી રાખવો જોઈએ તેમ અમે માનીએ છીએ. રાજય સરકારને અનુરોધ છે કે સ્માર્ટ મીટર મુકવા માટેનો નિર્ણય વીજ ગ્રાહકોના પ્રતિનિધિઓ અને માન્ય ગ્રાહક મંડળોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને લેવો જોઈએ. હાલનો નિર્ણય એક તરફી હોય જેથી વીજ કંપનીઓને વીજ ગ્રાહકોના રોષનો ભોગ બનવું પડયું છે. આ ઉપરાંત નિવૃત હાઈકોર્ટના જજના અધ્યક્ષ પદે એક હાઈપાવર કમિટીની રચના કરી જેમાં વીજગ્રાહકો/ ગ્રાહક મંડળના પ્રતિનિધિને સ્થાન આપવું જોઈએ. તેવી અમારી માંગણી છે.
મંડળના અગ્રણીઓ સર્વ એડવોકેટ હિમતભાઈ લાબડીયા, આર.વી. સોલંકી, અને ભાવેશ આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર માટેની વૈજ્ઞાનિક સમજણ વીજ ગ્રાહકોને સંપૂર્ણ મળી રહે તે માટે ત્રણ વર્ષ માટે નિર્ણય મુલત્વી રાખવા અમે માંગણી કરી છે. સ્માર્ટ મીટરનાં પ્રીપેડ બીલમાં ચાલુ બીલ કરતા ખુબજ તફાવત જોવા મળે છે. આથી ગરીબ મધ્યમ વર્ગના ગ્રાહકોને પોષાય તે રીતે બીલ બે મહિને વીજ વપરાશ બાદ મળવું જોઈએ તેવી અમારી માગણી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy