નવી દિલ્હી તા.29
લોકસભા ચૂંટણીમાં એક તરફ પહેલા ઓપીનીયન અને એકઝીટ પોલ આવ્યા હતા તેમાં મોદી સરકારને જ ફરી 400 બેઠકો મળશે તેવું દર્શાવ્યું હતું પરંતુ દેશના સૌથી જુના ગણાતા 500 વર્ષ જુના રાજસ્થાનના ફલોદી સટ્ટાબજારની નજર ચુંટણીથી લઈને મુંબઈ શેરબજાર સુધી હોય છે અને તેની પકકડ ઘણી મજબૂત ગણાય છે અને 300થી વધુ લોકો અહી આ સટ્ટાબજાર સાથે જોડાયેલા છે અને દેશમાં જે પ્રથમ બે તબકકાનું મતદાન થયું છે તે અંગે પણ આ સટ્ટાબજારમાં આંકલન શરુ થયુ છે.
એટલું જ નહી આ સટ્ટાબજારનું નેટવર્ક પુરા ભારતમાં ફેલાયુ છે અને અહી કરોડો રૂપિયાનો રોજ સટ્ટો લાગે છે. ફલોદી સટ્ટાબજારનું ગણીત અલગ છે. ચુંટણીમાં જે હરીફનો ભાવ આ સટ્ટાબજારમાં ઓછો નીકળે છે તેનો અર્થ નથી કે તે નબળો છે પણ ઓછા ભાવવાળા હરિફની જીતની શકયતા વધુ હોય છે અને જેનો ભાવ જ નથી નીકળતો તેની હારની શકયતા વધુ હોય છે અને કર્ણાટક તેમજ હિમાચલની વિધાનસભા ચૂંટણીમાં તેણે કરેલી આગાહી મૂજબ જ કોંગ્રેસ અને ભાજપને બેઠકો મળી હતી.
હવે રાજસ્થાનમાં 25 બેઠકો પર આ સટ્ટાબજારે ભાવ ખુલ્યા છે જેમાં સાત બેઠક કોંગ્રેસ જીતશે તેવું જણાવાયું છે તો કેટલીક બેઠક પર રસ્સાકસ્સી હોવાનું જણાવાયું છે. જે બેઠક પર કોંગ્રેસનો ભાવ ઓછો છે તેમાં નાગોર ઉપરાંત રાજેશ પાયલોટના મતક્ષેત્ર દોસા, કરોલી ઢોલપુર, ઝાલાવાડ બાલાનો સમાવેશ થાય છે.
જયારે રાજયના પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોટના પુત્ર વૈભવ ગેહલોટ ઝાલોર બેઠક પર પરાજીત થતા દર્શાવાયુ છે અને જોધપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ જીતશે તેવી આગાહી કરાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy