(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 7
સુરેન્દ્રનગરના થાન તાલુકાની સરોડી શાળામાં શિક્ષિકાને શાળાએ જોડાયા બાદ છોકરા કરતા છોકરીઓની સંખ્યા ઓછી આવતી હોવાનું જણાયુ હતુ.આથી ગેરમાન્યતાઓ દુર કરવા શિક્ષિકાએ સ્વખર્ચે સેનેટરી પેડ ખરીદી ઘેરઘેરબાળાઓ મહિલાઓને વિતરણ કરવાનું સેવાકાર્ય પણ નિભાવી હતી.આ શિક્ષકની અમદાવાદ બદલી થતા બાળાઓએ આંસુઓ સાથે વિદાય આપી હતી.
ભારતીય સમાજ પુરૂષ પ્રધાન હોવાને લઇ મહિલાઓના ઘણા એવા પ્રશ્નો છે જેના વિષે ખુલીને ચર્ચા કરવા કે સવાલ જવાબ થઇ શકતા નથી. પરંતુ એ માન્યતા પણ દુર કરવા શિક્ષીત મહિલાઓ આ બાબતે પણ આગળ આવી રહી છે. જેનું તાર્દશ ઉદાહરણ સમાન શિક્ષિકા દિપ્તીબેન કેતનભાઇ ગોહેલ છે.
આ અંગે તેઓએ જણાવ્યુ 2010માં થાન સરોડી શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા બાદ ધ્યાને આવ્યુ કે ગામના છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઓછી હતી વધુ તપાસ કરતા ધો.6 થી 8માં કન્યાઓની ગેરહાજરીનું કારણ જાણવા મળ્યુકે માસિક સમયગાળા પહેલા અને પછી આમ 10 દિવસના ગાળાને લઇ ગેરહાજર રહેતી હોવાથી શિક્ષણ પણ બગડવાસાથે શિક્ષણનું પ્રમાણ પણ ઘટતુ ધ્યાને આવ્યુ હતુ.
આથી શિક્ષીકાએ ગામમાં ફરી તપાસ કરતા ગામના મહિલાઓ સાથે વાતચીતમાં તેમના માતાઓ સાથે વાતચીત કરતા માસીકધર્મ પાછળની અંધશ્રધ્ધાઓ કપડા બગડી જવાની બીક અને તેનો શરમ સંકોચ કારણભૂત હતો. અને બાળાઓ પોતાને મુંજવતી સમસ્યા માટે પણ કોઇને કહી પણ નહોતા શકતા આ સમયમાં શરીરમાં થતા ફેરફારો તેની સમસ્યા અંગે પણ મનમાં ઘણા પ્રશ્નો હોવાનું ધ્યાને આવ્યુ હતુ.
બાદમાં શિક્ષક પતિ કેતનભાઇ ગદાણી, પુત્ર મહર્ષી ગદાણી,પુત્રી યશ્વી ગદાણીના સહયોગથી બાળાઓને સેનેટરી પેડના ઉપયોગ અને તેના ફાયદાની સમજ આપતા બાળાઓ તેનો ઉપયોગ કરતી થતા હાજરી 100 ટકા થઇ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy