(દેવાભાઈ રાઠોડ)
પ્રભાસ પાટણ,તા.23
સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત પ્રાચીન અહલ્યાબાઈ સોમનાથ મહાદેવ મંદિર કે જેને લોકો જુના સોમનાથ મંદિર તરીકે ઓળખે છે ત્યાં યાત્રિકો દર્શનાથીઓ પરત્વે ની વ્યવસ્થાઓ સાવ શૂન્ય સમાન છે અને ટ્રસ્ટ કાળજી લેવામાં ઉપેક્ષા સેવે છે જ્યાં સોમનાથ મંદિરનું જ્યોતિર્લિંગ દર્શન નું એક બાર કાયમી ધોરણે બંધ રાખે છે અને યાત્રિકો તે સમય દરમિયાન સરખા દર્શન પણ કરી શકતા નથી યાત્રિકોની લાઈન દર્શન કરવા મૂળ મંદિર સુધી પહોંચે છે.
ત્યારે જે ભાગમાં ટ્રસ્ટના કર્મચારીઓ ફરજ ઉપર બેઠા હોય તે ભાગનો પંખો ચાલુ રાખે છે અને તેની બાજુમાં થોડી દુર જ્યાં દર્શન ની લાઇન હોય છે તે સાઈડનો પંખો હોવા છતાં ધરાર બંધ રાખે છે અને છતે પંખે યાત્રિકો ગરમીમાં અકળાઈ જાય છે.
અહલ્યાબાઈ મંદિર સંકુલના આકાશ તરફના માત્ર મુખ્ય ભાગમાં જ મંડપ લગાવેલ છે જ્યારે બાકીના મોટાભાગના છાંયો કરવામાં આવેલ નથી જેથી આ કાળઝાળ ગરમી મા નિચેનો લાદી નો ભાગ ગરમ થય જાય છે જેથી બાળ બચ્ચાવાળા યાત્રીકો હેરાન પરેશાન થાય છે. કાળઝાળ ઉનાળામાં ઠેર ઠેર પીવાના સ્વચ્છ પાણીની પરબો ઊભી કરી યાત્રિકોને સુવિધા આપવી જરૂરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy