જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં ટ્રાન્સજેન્ડર અને વરિષ્ઠ નાગરિકોને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. વિકાસ સમર્થન કેન્દ્ર વેરાવળ ખાતે ટ્રાન્સજેન્ડર મતદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બનીને બહોળી સંખ્યામાં નાગરિકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ અવસરે મતદાન જાગૃતિનો સંદેશો આપતી બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy