નવી દિલ્હી, તા.23
લોકસભાની ચૂંટણી અત્યાર સુધીમાં સામાન્ય છમકલાને બાદ કરતાં શાંતિપૂર્ણ જ રહી છે ત્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થતાં ખળભળાટ સર્જાયો છે. આ ઘટનામાં ભાજપના કાર્યકરનું મોત થયું હતું. બંને પક્ષના સાત લોકો ઘાયલ થયા હતા.
લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબકકા પૂર્વે પશ્ચિમ બંગાળના મદિનીપુર જીલ્લાના નંદીગ્રામમાં ભાજપ તથા તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતા અને હિંસક અથડામણ થઇ હતી. આ હિંસક મારામારીમાં ભાજપની મહિલા કાર્યકરની હત્યા થઇ હતી અને સાત કાર્યકરો ઘાયલ થયા હતા.
ભાજપના નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો ,કે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ ધારદાર હથિયારો સાથે તૂટી પડયા હતા. જો કે તૃણમુલ કોંગ્રેસે આક્ષેપ ફગાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર જીલ્લામાં તનાવનો માહોલ સર્જાયો છે અને વધારાનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 25મી મેના રોજ છઠ્ઠા તબકકાની ચૂંટણીમાં રાજ્યની આઠ બેઠકો પર મતદાન થવાનું છે. પ્રચારના અંતિમ દિવસ પૂર્વે જ હિંસાથી રાજકારણ ગરમાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy