(ગની કુંભાર)
ભચાઉ તા.23
હાલ લોકસભાની ચૂંટણી હોવાથી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગેલ હોવાથી કયાંય પણ ધાર્મિક સ્થળો પર કોઈપણ પાર્ટીનો પ્રચાર કરવામાં આવે તો તે ગુનાને પાત્ર બાબત છે.
ઉપર જણાવેલ વાત મુજબ તા.21ના રવિવારે સાંજના સમયમાં ગુજરાત રાજયના કચ્છ જીલ્લાના અંજાર શહેરના વોર્ડ નં.5ના ખેતરપાળ નગર સોસાયટીમાં આવેલ ખેતરપાળ મંદિર મધ્યે અંજાર શહેરના બીજેપી દ્વારા મીટીંગ યોજવામાં આવેલ હતી. જે આચારસંહિતાના ઉલ્લેઘન સમાન છે. અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્ર્વિનભાઈ સોરઠીયા દ્વારા ભાજપનો ખેસ ધારણ કરેલ હોય આચારસંહિતાના લીરેલીરા ઉડાવામાં આવ્યા છે જે સંદર્ભમાં ઉચિત કાર્યવાહી કરવા અંજાર શહેર કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy