વેરાવળ,તા.27
વેરાવળના મચ્છીના વેપારી પાસેથી કોડીનારના વેપારીએ મચ્છી ખરીદ કરેલ જેની સામે રૂા.3 લાખ તથા રૂા.ર લાખ મળી કુલ બે ચેકો આપેલ જે ચેકો રીર્ટન થતા કોર્ટ દ્વારા બન્ને કેસોમાં જુદી-જુદી સજાનો હુકમ ફરમાવેલ છે.
આ બન્ને કેસોની વિગતો આપતા એડવોકેટ પી.આઇ.બુચે જણાવેલ કે, વેરાવળના હાર્દિક સી ફુડના પ્રોપ્રાઇટર સોયબ અનવરભાઇ પંજા પાસેથી કોડીનારના અશરફ હનીફભાઇ લીલાણી એ મચ્છીની ખરીદી કરેલ જેની સામે રૂા.2 લાખ તથા રૂા.3 લાખ મળી બે ચેકો આપેલ જે બન્ને ચેકો બેંકમાંથી રીર્ટન થતા કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ કેસ ચાલેલ જેમાં પ્રીન્સીપાલ સીવીલ જજ અને જયુડી. મેજી. ફર્સ્ટ કલાસ કોર્ટના જજ શ્રી એમ.બી.પુરોહીત દ્વારા આરોપી અશરફ લીલાણી ને બે - બે વર્ષની કેદની સજા સાથે ચેકની રકમના દોઢા એટલે કે રૂા.7,50,000 ચુકવવાનો હુકમ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy