ગોંડલ,તા.24
ગોંડલ પંથક માં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કર્યા ની અલગ અલગ બે ઘટનાં માં વૃધ્ધ તથા યુવતીએ જીવ ગુમાવ્યા છે. પ્રથમ ઘટના માં ગોંડલ ની નંદનવન સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન વિતાવતા વિનોદરાય ચકુભાઇ પારખીયા (ઉ.વ.64) સવારે નવ કલાકે કોઈ અગમ્ય કારણોસર નવા માર્કેટ યાર્ડ પાસે આવેલી રસીકભાઇ માંડણકા ની વાડીમાં ઝેરી દવા પી જતા તેનું મોત નિપજ્યું હતુ.બનાવ અંગે વાડી માલિક ને જાણ થતા તેમણે 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
મૃતક વિનોદભાઈ તલાટી મંત્રી ની ફરજ પુરી કરી નિવૃત જીવન જીવતા હતા.સંતાન માં બે દીકરાઓ હોવાનું જાણવાં મળેલ હતુ.બનાવ અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ માં તાલુકાનાં કમરકોટડા પ્રકાશભાઈ કાવઠીયા ની વાડીમાં રહી ખેતમજુરી કરતી મુળ દાહોદ ની આદીવાસી ઉર્મીલા ફતેહસિંહ ભુરીયા ઉ.18 કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ગોંડલ સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ.ઉર્મીલા તેનાં બેન બનેવી સાથે વાડીએ રહી ખેતીકામ કરતી હતી.બનાવ અગે સુલતાનપુર પોલીસ મથક નાં મયુરભાઈ સોલંકીએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy