► 14થી18 કેરેટ જવેલરીનો વધ્યો ટ્રેન્ડ : હોલમાર્ક અને જીએસટી સાથેના બિલની પણ જાગૃતિ વધી
રાજકોટ: સોનાના ભાવ ગમે તેટલા વધે પણ ભારતમાં તેનું આકર્ષણ સતત રહે છે અને આજે અક્ષય તૃતીયાએ પણ ફરી બજારમાં શુકન સહિતના સોનાની અસર જોવા મળશે અને સોનાના ઘરેણા ઉપરાંત સોનાના સિકકા તથા રોકાણના નવા વિકલ્પ તરીકે ગોલ્ડ ઈપીએફમાં પણ સારી ખરીદીની આશા છે તો અક્ષય તૃતીયાના અવસરે નાના જવેલર્સથી લઈને મોટા બ્રાન્ડેડ શોરૂમ દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા અનેક ઓફરો કરવામાં આવી રહી છે.
ગત અક્ષય તૃતીયાએ સોનાના ભાવ રૂા.59845 પ્રતિ 10 ગ્રામ હતો જે તા.9 મે ના રોજ રૂા.71595 નોંધાયો છે. આમ એક વર્ષમાં સોનામાં 20% જેટલું રોકાણ વળતર આપ્યુ છે અને હજુ સોનુ 80000ને પાર જોવા મળી શકે છે અને સારા રીટર્નના કારણે હવે સોના આધારીત મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ વધ્યુ છે.
દેશમાં હવે સોનામાં હોલમાર્કને વધુને વધુ મહત્વ આપવામાં આવી રહે છે પણ છતા તેનો પુરો અમલ થતો નથી અને 27% લોકોએ હોલમાર્ક વગર જ જવેલરી ખરીદી હતી.
આ વર્ષે ગુજરાતમાં સોનાનું વેચાણ 225 કિલો આજે અક્ષય તૃતીયાએ રહેવાની ધારણા છે. જો કે તે ગત વર્ષના અક્ષયતૃતીયા કરતા અડધું જ હશે. ઉંચા ભાવના કારણે સોનામાં રોકાણ કરનારમાં ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષે અક્ષય તૃતીયાના દિને 400 કિલો સોનુ વેચાયુ હતું જે હવે 200થી 225 કિલો રહેશે.
સોનાના ભાવમાં વધારાને અનેક કારણો છે. ખાસ કરીને વૈશ્વિક જીયો પોલીટીકલ ફેકટર મહત્વની ભૂમિકા ભજવે છે. યુદ્ધના કારણે વૈશ્વિક વેપારમાં વારંવાર વિધાન આપે છે. લોકો ઉંચા ભાવના કારણે હવે 14,16,18 કેરીના ગોલ્ડ ભણી વધ્યા છે જે ડિઝાઈનમાં પણ વેરાઈટી આવે છે અને તેના નીચા ભાવનો લાભ મળે છે તો પાંચ વર્ષમાં સોનાએ જે ઉંચુ વળતર આપ્યુ છે તે આ સલામત રોકાણમાં એક આકર્ષણ વસુલે છે.
હોલમાર્કનો આગ્રહ રાખનારા વધી ગયા છે જે સોનાની શુદ્ધતાની ગેરેન્ટી આપે છે અને માન્ય કેન્દ્ર પર તે હોલમાર્ક માન્ય કેન્દ્ર પર કરી અપાય છે. હવે 86% લોકો જીએસટી બિલ સાથે સોનુ ખરીદવાનો આગ્રહ રાખ્યો છે. 8% રોકડથી ખરીદી કરે છે. જો કે હોલમાર્ક વાળી જવેલરી ખરીદી થોડી મોંઘી પડે છે પણ તે સોનાની શુદ્ધતાની ગેરેન્ટી આપે છે તે સૌથી મહત્વનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy