નવી દિલ્હી, તા. 12
ભારતીય રેલવે પોતાની સેવાઓ વધુને વધુ આરામદાયક બનાવી રહ્યું છે. વંદે ભારત સહિત અનેક નવી ટ્રેનને ચલાવવામાં આવે છે, સાથે જ યાત્રિકોને ઝડપથી, સુખ સુવિધા સાથે આસાન સફર મળી શકે તે માટેના પ્રયાસો પણ કરે છે.
ટ્રેનથી યાત્રા કરનારાઓ પોતાની સાથે ભારે ભરખમ સામાન પણ લઈને જાય છે પરંતુ શું તમને ખ્યાલ છે કે ટ્રેનમાં નક્કી કરેલી લિમિટ સુધીનો જ સામાન લઈ જઈ શકાય છે. આ માટે રેલવેએ કયા કોચમાં કેટલો સામાન લઈ જઈ શકાય છે તે અંગે જાણકારી આપી છે. જો નક્કી કરેલી લિમિટથી વધુ સામાન હશે તો મોટો દંડ થઈ શકે છે.
રેલવે નિયમ મુજબ એસી ફર્સ્ટ ક્લાસમાં યાત્રી 70 કિલો સુધીનો સામાન ફ્રીમાં લઈ જઈ શકે છે. જ્યારે એસી 2 ટિયરમાં 50 કિલો સુધીનો સામાન લઈ જવાની છૂટ છે. આ ઉપરાંત એસી 3 ટિયર કે ચેર કારમાં 40 કિલો સુધીનો સામાન ફ્રીમાં લઈ જઈ શકાય છે. સ્લીપર ક્લાસની વાત કરીએ તો તેમાં યાત્રી પોતાની ટિકિટ સાથે 40 કિલો સુધીનો સામાન પોતાની સાથે રાખી શકે છે. સેકન્ડ ક્લાસમાં આ લિમિટ 35 કિલો છે.
ભારતીય રેલવે મુજબ, ટ્રંક, સૂટકેસ અને બેગ જેનું બહારનું મેજરમેન્ટ 100 સેમી 60 સેમી 25 સેમી હોય તેણે સામાન તરીકે યાત્રી ડબ્બામાં લઈ જવાની મંજૂરી હોય છે. જો ટ્રંક, સૂટકેસ અને બેગનું મેજરમેન્ટ નક્કી કરેલી લિમિટથી વધુ છે તો પછી આવી વસ્તુઓ માટે બુકિંગ કરાવવું જરુરી છે અને બ્રેક વેનમાં લઈ જવાની છૂટ મળે છે.
આ ઉપરાંત એસી 3 ટિયર અને એસી ચેર કારમાં લઈ જવાતી બેગ, ટ્રંક કે સૂટકેસની મહત્તમ સાઈઝ 55 45 સેમી 22.5 સેમી જ હોવી જોઈએ. તો યાત્રિકોને ટ્રેનમાં અનેક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ હોય છે. જેમાં કેમિકલ, ફટાકડાં, ગેસ સિલિન્ડર, એસિડ, ગ્રીસ, ચામડું સહિતની વસ્તુઓ સામેલ છે. જો કોઈ યાત્રી આ પ્રતિબંધિત વસ્તુઓની સાથે યાત્રા કરતા પકડાય જો તો તેના વિરુદ્ધ કલમ 164 અંતર્ગત એક્શન લેવામાં આવી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy