(લિતેશ ચંદારાણા) વાંકાનેર તા.28
વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં ગૌશાળા રોડ પર આવેલ પાર્થધ્વજ હનુમાનજી તથા પાર્થેશ્ર્વર મહાદેવ મંદિરના યુવકો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ 19માં સર્વજ્ઞાતિય સમુહ લગ્ન તથા સમુહ યજ્ઞોપવિતના આયોજનના ભાગરૂપે તા.2થી 8 દરમ્યાન શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કથાના વ્યાસાસને કથાવકતા મહારાજ હરીકાંતબાપુ (રાજકોટ) પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથા સમય દરરોજ સવારે 9-30થી 12-30 તથા બપોરે 3-30થી 6-30નો રાખેલ છે. દરેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને કથાનું રસપાન કરવા પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા જણાવાયું છે.
કથા દરમ્યાન દરરોજ બપોરે ભાવિક ભકતજનો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કથા દરમ્યાન આવતા વિવિધ અવસરો જેવા કે, શિવ વિવાહ, શ્રીરામ જન્મોત્સવ બાળલીલા, શ્રીરામ વિવાહ, શ્રીરામ વનવાસ, ભરત મિલાપ, સબરી પ્રસંગ તથા શ્રીરામ રાજયાભિષેક સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે. આ શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞના પ્રારંભે ભવ્યાતિભવ્ય પોથીયાત્રા તા.2ને ગુરૂવારે સવારે 9 કલાકે જકાત નાકા પાસે આવેલ ચિત્રકુટ બાલાજી મંદિરેથી વાતજે ગાજતે પ્રસ્થાન થઈ કથા સ્થળ પાર્થધ્વજ હનુમાનજી મંદિર ‘અયોધ્યા ધામ’ ખાતે પહોંચશે. આ પોથીયાત્રામાં સાધુ-સંતો- સેવકગણ સહિત હજારો ભાવિક ભકતજનો જોડાશે.
તા.8મેના રોજ કથા પુર્ણાહુતિ તેજ સ્થળે ‘અયોધ્યા ધામ’ ખાતે શાંતિ હવન યોજાશે. બાદ તા.9ના રોજ 19માં સર્વજ્ઞાતિય સમુહ લગ્ન તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. તા.9ના રોજ સવારે સાત કલાકે વાજતે ગાજતે 11 જાનના એકી સાથે ભવ્યાતિભવ્ય સામૈયા કરવામાં આવશે. આ સમુહ લગ્ન દરમ્યાન મહંત છબીલદાસબાપુ (રૂગનાથજી મંદિર) મહંત અશ્ર્વિનબાપુ રાવલ (વાંકાનેર ગાયત્રી શકિતપીઠ) મહંત વિશાલભાઈ પટેલ (ફળેશ્વર મહાદેવ મંદિર), માધુરીબેન ગોસ્વામી (કથા વકતા) ડો. દિલીપભાઈ વ્યાસ ( ભાગવત કથા વકતા) તથા જયાબા વિજયાબા તથા હેતલબા (વાંકાનેર મહીલા મંદિરના સાંખ્યયોગીબા) સહીત ધારાસભ્ય, સાંસદસભ્ય સહિતના અનેક મહાનુભાવો આ નવદંપતિને આશીર્વચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળના અગ્રણીઓ ટપુભા એમ. જેઠવા, પ્રફુલગીરી ડી. ગોસ્વામી, વિરેન્દ્રપુરી જે. ગોસ્વામી, ધનુભા બી. ઝાલા, સુરેશગીરી જે. ગોસ્વામી તથા જગદીશભાઈ બી. મોરાણીયા સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઓગણીસમાં સમુહ લગ્નના જમણવારના દાતા વસંતબા પ્રવીણસિંહ ઝાલા હ. જયુભા પી. ઝાલા (ઝાલા ટ્રાનતસપોર્ટ) વાળા રહેશે. કાર્યક્રમ દ્વારા અનેક મહાનુભાવોને યુવક મંડળ દ્વારા સન્માનિત કરવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy