(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર શકિત માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓના પ્રતિક ઉપવાસનો મામલે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની મહિલાઓના નારી અસ્મિતા ઉપવાસ આંદોલન પૂર્ણ થયું હતું. જેમાં સતત સાત દિવસ સુધી રાજપુતાણીઓએ ઉપવાસ કર્યા હતા. જેમાં સાત દિવસના પ્રતિક ઉપવાસ બાદ ક્ષત્રિય સમાજની મહિલાઓને પારણા કરાવતા ઉપવાસનો અંત આવ્યો હતો.
છેલ્લા સાત દિવસથી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા હતા. મુળી તેમજ વઢવાણ સ્ટેટ ક્ષત્રિય સમાજના હોદેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પારણા કરાયા હતા.લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્ય અને દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા છેલ્લા સાત દિવસથી સુરેન્દ્રનગર શક્તિ માતાના મંદિરે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.
જેમાં શહેરની ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. અને પુરષોતમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વઢવાણ સ્ટેટ અને મૂળી સ્ટેટના પરિવારની ઉપસ્થિતિમાં આ મહિલાઓએ પારણાં કર્યા હતા.
આગામી નવી રણનીતિ નક્કી કરવામા આવી હતી. જેમાં આ લોકસભાની ચૂંટણીમાં પોતે અને પોતાના પરિવાર ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અને બીજા અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy