(નરેશ ચોહલીયા) જસદણ, તા. 22 જસદણના રામેશ્ર્વર મંદિર ખાતે તા 24 ના રોજ શ્રી શિવપુરાણ એકાદશ જ્ઞાન યજ્ઞનું પૂ કામેશ્ર્વર ગીરી બાપુની મૂર્તિ શોભાયાત્રા ધૂન ભજન ભોજન કીર્તન યોજાશે. જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર આવેલ બ્રહ્મલીન દિગંબર કામેશ્ર્વર ગીરીબાપુ ગુરુ મહંત શ્રી સેવાગીરી બાપુ ની જગ્યા શ્રી રામેશ્વર મંદિર ખાતે ગામ સમસ્ત શિવ મહાપુરાણ કથા યજ્ઞનું આયોજન ચૈત્રવદ 1 ને બુધવાર તારીખ 24 4 2024 ના રોજ સવારે 9:00 કલાકે પુજ્ય કામેશ્ર્વર ગીરી બાપુ ની મૂર્તિ ની શોભાયાત્રા પોથીયાત્રા શહેરના મોટા રામજી મંદિરેથી નીકળશે તેમજ વ્યાસપીઠ પરથી બિરાજમાન શાસ્ત્રી શ્રી રાજેન્દ્ર પ્રસાદ વ્યાસ રંઘોળા વાળા તેમની મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથા મહાત્મા નવદુર્ગા કથા મંત્ર શ્ર્લોક શક્તિ શિવ પ્રાગટ્ય કથા પાર્વતી કથા વિવાહ કથા રામકથામાં શિવજી દર્શન 12 જ્યોતિર્લિંગ તથા કૃષ્ણ કથામાં શિવજી દર્શન ગોપેશ્ર્વર ધામ રૂહી કથા તીર્થધામ નદી કથા વિરામ તારીખ 4 5 2024 ને શનિવાર દશાંક હોમ કથા વિરામ દશામાનો હવન યોજાછે આ કથા શ્રવણનો લાભ લેવા અનેક રાજકીય સામાજિક વેપારિક ઔદ્યોગિક આગેવાનો ઉપરાંત ગામ સમસ્ત આયોજન હોય જેથી સર્વ ધર્મ પ્રેમી જનતાને શિવકથાનો લાભ લેવા રામેશ્વર મંદિરના મોભી ભરતભાઈ છાયણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy