નવી દિલ્હી તા.29
નાગરીક ઉડ્ડયન મંત્રાલય (ડીજીસીએ) એ વિમાન યાત્રીઓને મોટી રાહત આપી છે. જે અંતર્ગત એરલાઈન્સ કંપનીઓ હવે યાત્રીઓ પર બિનજરૂરી સેવાઓ થોપી નહિં શકે. યાત્રીઓને તે સેવાઓ જ પસંદ કરવાનો વિકલ્પ મળશે. જેનો તેઓ સફળ દરમ્યાન ઉપયોગ કરવા માંગે છે. જેથી તેમનું ભાડુ ઓછુ થઈ શકે.
આ બાબતે ડીજીસીએએ દિશા નિર્દેશ જાહેર કરી દીધી છે. ખરેખર તો ડીજીસીએને જાણવામાં આવ્યું કે, યાત્રીઓને કયારેક કયારેક એ સેવાઓનું પેમેન્ટ ચુકવવુ પડતુ હોય છે જેની તેમને આવશ્યકતા પણ નથી હોતી.
એરલાઈન્સ દ્વારા નિર્ધારીત વિમાન ભાડામાં તેમના દ્વારા આપવામાં આવતી સેવાઓના ચાર્જ પણ સામેલ હોય છે. નવા નિર્દેશ મુજબ યાત્રીઓને માત્ર એ સેવાઓને પસંદ કરવાની અનુમતી મળશે.જે તેમના માટે પ્રાસંગીક છે. જેથી તેમની વિમાન યાત્રા વધુ કિફાયતી બને.
ટિકીટ બુકીંગ વખતે વધુ સ્પષ્ટતા હોય:
ડીજીસીએએ નિર્દેશ કર્યો હતો કે ટીકીટ બુક કરાવતી વખતે યાત્રીને આપવામાં આવતી સેવાઓ અને તેના ચાર્જની સ્પષ્ટ જાણકારી આપવી જોઈએ. જેથી તે પોતાની જરૂરીયાત મુજબની સેવા પસંદ કરી શકે.
કંપનીઓએ વેબસાઈટ પર આપવી પડશે જાણકારી:
ડીજીસીએએ એ પણ નિર્દેશ આપ્યો છે કે યાત્રી દ્વારા પસંદ કરવામાં આવેલ સેવાઓ માટે ચાર્જ નિશ્ચિત રહેશે અને કોઈ ક્ષેત્ર ઉડાનનાં આધારે ભાડાની સાથે જુદો નહિં હોય એર લાઈન્સે પોતાની વેબસાઈટ પર સેવાઓ અને તેના ચાર્જને પારદર્શી અને સ્પષ્ટરૂપે દર્શાવવુ પડશે.
આ સેવાઓમાંથી પસંદગી કરી શકાશે:
આ સેવાઓમાં ખાસ સીટનો આગ્રહ નાસ્તા અને પીણાનો ચાર્જ (પીવાના પાણીને બાદ કરતા) ચેક-ઈન બગેજ ચાર્જ, રમત સાધન ચાર્જ, સંગીત વાદ્ય યંત્ર ચાર્જ, કિંમતી સામાનની વિશેષ ઘોષણા માટે ચાર્જનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એરલાઈન્સ ઝીરો બેગેજ ભાડા પોલીસી ઓફર કરી શકશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy