રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ ટ્રેન 24 જૂન સુધી જડચર્લા સ્ટેશન સુધી જશે

Saurashtra | Rajkot | 29 April, 2024 | 12:07 PM
સાંજ સમાચાર

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-મહબૂબનગર વચ્ચે ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેન 24 જૂન, 2024 સુધી મહબૂબનગરને બદલે જડચર્લા સ્ટેશન સુધી જશે. સિકંદરાબાદ-મહબૂબનગર સેક્શનમાં ટ્રેનોના ભારે ધસારાને કારણે રેલવે પ્રશાસને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જડચર્લા અને મહબૂબનગર વચ્ચેનું અંતર 17 કિલોમીટર છે. 

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં
1)  ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ 29 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 દરમિયાન દર સોમવારે રાજકોટથી ઉપડશે અને જડચર્લા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે, આ ટ્રેન જડચર્લા-મહબૂબનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2)  એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 30 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 દરમિયાન દર રવિવારે મહબૂબનગરને બદલે જડચર્લા સ્ટેશનથી ઉપડશે. આ રીતે, આ ટ્રેન મહબૂબનગર-જડચર્લા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj