રાજુલા,તા.29
લોકસભાની ચૂંટણી નજીકના દિવસોમાં છે ત્યારે ગુજરાતનું એક એવું ગામ જે દરિયાની વચ્ચે વસ્યું છે જે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ ગામ છે આ ગામ 10 હજારની વસ્તી ધરાવતા ગામમાં દરિયાઈ માર્ગે હોડીમાં બેસીને અમારા રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા શિયાળ બેટ ખાતે પહોંચી હતી ને શિયાળ બેટ ગામે શું છે સ્થિતિ જોઈએ તેનો સ્પેશ્યલ રિપોર્ટ
આ છે ગુજરાતનું એકમાત્ર દરિયા વચ્ચે આવેલો ટાપુ શિયાળ બેટ આજે લોકસભાની ચૂંટણી ને લઈને અમારા રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા શિયાળ બેટ ટાપુ પર પહોંચ્યા હતા શિયાળ બેટ ટાપુ પર 10 હજારની વસ્તી ધરાવતું આખું ગામ માછીમારી પર નિર્ભર ગામ છે પણ હાલ ગામમાં 2 હજાર વ્યક્તિઓ જ રહે છે જ્યારે 75 થી 80 ટકા શિયાળ બેટ માનવ વસાહતના સ્થાનિકો માઇગ્રેશન કરીને રોજી રોટી માટે સ્થળાંતર કરી ચૂક્યા છે.
ગામ આખું ખાલી ખમ જોવા મળી રહી છે જ્યારે શિયાળ બેટ ગામમાં જાણે કર્ફ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો તેનું મુખ્ય કારણ રોજગારી હતી ને 75 થી 80 ટકાની વસ્તી આજુબાજુના ગામોમાં કે અન્ય શહેરોમાં રોજગારી માટે વસવાટ કરવા નીકળી ગઈ છે ને મોટાભાગના ઘરો માં અલીગઢી તાળા લટકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક છે ને ચૂંટણીપંચ દ્વારા વધુ ને વધુ મતદાન થાય તેવા અવરનેસ કાર્યક્રમો કરી રહી છે પણ શિયાળ બેટમાં 5500 આસપાસનું મતદાન છે ને હાલ માત્ર 500 થી 700 મતદાતાઓ જે નિવૃત્ત થઈને જીવન નિર્વાહ કરતા લોકો જ શિયાળ બેટમા જોવા મળ્યા હતા ને રોજગારી માટે સ્થળાંતર કરી ને અન્યત્ર શહેરોમાં ખેતી, માછીમારી કે મજૂરી કામે ઘરોને તાળા મારીને ચાલ્યા ગયા હોવાનું સ્થાનીક વયોવૃદ્ધે જણાવ્યું હતું
શિયાળ બેટના મોટાભાગના ઘરો ખાલી છે તો વયોવૃદ્ધ મહિલાઓ જ ઘરમાં કામકાજ કરી રહી છે ને દીકરાઓ કામ અર્થે બહાર વસવાટ કરતા હોવાનું વયોવૃદ્ધ મણીબેને જણાવ્યું હતું
જીવનના અંતિમ સફરમાં રહેલા વયોવૃદ્ધ માતાની આંખોમાં વિકાસની ઝાંખપ સ્પષ્ટ નજરે પડતી હતી જ્યારે સ્થાનીક અગ્રણીઓએ શિયાળ બેટમાં લાઈટ પાણી રોડ રસ્તા સહિતની સુવિધાઓની વાત કરી હતી
રાજ્યનું એકમાત્ર શિયાળ બેટ ટાપુ પર સરકારી તંત્ર દ્વારા રોજગારી માટે ખાલી ખમ ગામમાં મતદાન વધુ થાય તે અંગે અવરનેસ વધારવાની આવશ્યકતા વધુ જોવા મળી રહી છે
લોકશાહીનું સૌથી મોટા પર્વમાં રોજગારી માટે શિયાળબેટ વાસીઓ 8 મહિના બહાર રહેતા હોય છે ને ચોમાસાના ચાર મહિના જ શિયાળબેટ માં સ્થાઈ હોય ત્યારે તંત્ર દ્વારા અવરનેસ માટે ખૂબ પ્રયત્ન શિલ છે સાથે સરકાર પણ જો રોજગારી માટે શિયાળ બેટ વાસીઓ માટે કરે તો ચૂંટણીના મહાપર્વમાં મતદાન વધી શકે તેવું ભાજપના નેતા અંબરીશ ડેરએ જણાવ્યું હતું જ્યારે સતત મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરીને મતદાન વધારવા માટે ખુદ જિલ્લા વહીવટી વડા શિયાળ બેટ અને માછીમારો સાથે મતદાન જાગૃતિની બેઠકો કરી હોવાનું રાજુલાના પ્રાંત કલેકટર ડો.મેહુલકુમાર બરાસરા એ જણાવ્યું હતું
આદર્શ આચારસંહિતા અમલીકરણ વચ્ચે મતદાન વધુ થાય તેવા તંત્રના પ્રયાસો છે પણ ગુજરાતના એકમાત્ર દરિયા વચ્ચે આવેલા ટાપુ શિયાળબેટ પર રોજગારીનો ગંભીર પ્રશ્ન હોય ત્યારે સ્થાનિક રોજગારીની તકો વધે તો મતદાન પણ વધી શકે તે અંગે પણ સરકારે વિચારવું જોઈએ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy