રાજકોટ,તા.27
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આતંર રાજયને જોડતી હવાઈ સેવામાં રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-સુરત વચ્ચે ડેઈલી એક ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે. જેમાં ઈન્ડિગો એર લાઈન્સ કંપની રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઈ સેવા પુરી પાડી રહી છે.
ગત તા.31 માર્ચથી શરૂ થયેલી રાજકોટ-અમદાવાદ ફલાઈટમાં રોજીંદો ટ્રાફિક નહીં મળતા હવે ટચકા ખાવા લાગી છે સંભવિત આ કારણે જ આગામી મે માસથી આ ફલાઈટ કેન્સલ થાય તો નવાઈ નહીં હાલના દિવસોમાં ઈન્ડિગો એર લાઈન્સ કંપનીની એટીઆર એરક્રાફટ સપ્તાહમાં બુધવારના દિવસ સિવાય ડેઈલી બપોરે 3.50 કલાકે ઉડાન ભરે છે.
આ ફલાઈટમાં મોટાભાગે અમદાવાદથી કનેકટીંગ ફલાઈટવાળા મુસાફરો મુસાફરી માણી રહ્યા છે. અન્ય પ્રવાસીઓનો ઘસારો ઓછો જોવા મળતા ડેઈલી સરેરાશ 25 થી 30 જેટલા મુસાફરો આવન-જાવન થતી હોવાથી સંભવિત આગામી મે માસથી એર લાઈન્સ કંપની આ ફલાઈટ કાયમી ધોરણે કેન્સલ કરે તેવી શકયતા છે. આગામી 15 દિવસ સુધી જો આવી જ સ્થિતિ રહી તો આ ફલાઈટ કાયમી ધોરણે કેન્સલ થવાની શકયતા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy