હાથ ઉછીની આપેલ રકમ પાછી ન આપતાં નુરમામદ બ્લોચે આપઘાતનો પ્રયાસ કર્યો

Crime | Rajkot | 27 April, 2024 | 05:08 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.27
હાથ ઉછીના આપેલ રૂપિયા પાછા ન આપતાં નુરમામદ બ્લોચે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની વિગત અનુસાર નુરમામદભાઈ આદમભાઈ બ્લોચ (ઉ.વ.45 રહે- પરેવડી ચોક ખોડીયારનગર) આજ રોજ ભગવતીપરા જુના રેલ્વે બ્રિજ નિચે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે નુરમામદભાઈએ જણાવ્યુ કે તેઓએ અલગ અલગ વ્યક્તિને 6 લાખ જેવી રકમ હાથ ઉછીની આપી હતી. જે રકમ પરત માંગતા આપી ન હતી જેથી કંટાળી ભગવતીપરા જુના રેલ્વે બ્રિજ નીચે ગળાફાંસો ખાઈ લેતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ રિક્ષા લે વેચનો વ્યવસાય કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર- પુત્રી છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિજન પોલીસને જાણ કરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj