નવી દિલ્હી,તા.23
યુરોપની યાત્રા હવે સરળ બની ગઈ છે.હવે ભારતીય પાંચ વર્ષ માટે મલ્ટીપલ એન્ટ્રીવાળા શેંગેન વિઝા માટે આવેદન કરી શકશે.યુરોપીય સંઘ 18 એપ્રિલે તેના માટે કેટલાંક નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં બે વિઝા હાંસલ કરનાર અને તેનો વૈશ્ર્વીક તરીકે ઉપયોગ કરનાર ભારતીયોને હવે બે વર્ષ માટે મલ્ટીપલ શેંગોન વીઝા ઈસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ જો પાસપોર્ટની વેલીડીટી બાકી રહે છે તો શેંગોન વીઝાની વેલીડીટી બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરી દેવામાં આવશે.
યુરોપીય સંઘના ભારતીય રાજદુત હર્વે ડેલીફને કહ્યું હતું કે હાલ જે વીઝાનાં જે નિયમો છે.તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા બન્ને દેશોનાં લોકો વચ્ચે તાલમેલ વધારવાની દિશામાં ઉઠાવવામાં આવેલુ પગલુ છે.શેંગેન વીઝા નિયમ લાગુ થવાથી યુરોપમાં અલગ અલગ દેશોની કાગળની કાર્યવાહી એક સાથે થઈ જશે.
આ છે શેંગેન વિઝાન ફાયદા:
શેંગેન વીઝાની મદદથી આપ 180 દિવસના સમયગાળામાં વધુમાં વધુ 90 દિવસ માટે શેંગોન વિસ્તારમાં સ્વતંત્ર રીતે યાત્રા કરી શકે છે. શરત એટલી જ છે કે આપ શેંગેન વિસ્તારમાં જઈને નોકરી ન કરતાં હો.શેંગોન વિસ્તારમાં 29 યુરોપીય દેશ સામેલ છે.
તેમાં બેલ્જીયમ, બુલ્ગારીયા, ક્રોએશીયા, ચેક ગણરાજય, ડેન્માર્ક, જર્મની, સ્પેન, ફ્રાન્સ, ઈટલી, લકઝમબર્ગ, હંગેરી, નેધરલેન્ડ, યુરોપ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, આઈસલેન્ડ, નોર્વે, સ્વીટઝરલેડ વગેરે સામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy