રાજકોટ, તા. 29
બનાસકાંઠાના થરા ગામે ભકિતનગર જૈન સંઘના આંગણે શ્રી ગુરૂપ્રેમ પટ્ટધર, ગચ્છનાયક જયોતિષાચાર્ય ડો. આ. શ્રી વિ. હેમચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજાની પાવન નિશ્રામાં મુમુક્ષુ રત્નાકુમારી પ્રાચી ચેતનકુમાર તાણેચા પ્રવ્રજયાના પંથે આગામી તા. 1લીના પ્રયાણ કરશે. આ પ્રસંગે ગુરૂ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
મુમુક્ષુ રત્ના ચિ. પ્રાચીના દીક્ષા મહોત્સવની ઉજવણીનો આજ તા. ર9મીથી પ્રારંભ થયો છે. આજે વહેલી સવારે પૂ. ગુરૂ ભગવંતોનું સામૈયું કરાયું હતું. બપોરે શ્રી સિધ્ધચક્ર મહાપૂજન ભણાવાયું હતું. રાત્રે 8 વાગે ‘અહો જિનશાસનમ્’ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
આવતીકાલે સવારે 8 વાગે વર્ષીદાન યાત્રા, બપોરે 11.30 કલાકે બેઠુ વર્ષીદાન, બપોરે બે વાગે મોહે રંગ દે સંયમ રંગ મેં કાર્યક્રમ, સાંજે પાંચ વાગે અંતિમ વાયણું, રાત્રે 8 વાગે સ્ટેજ કાર્યક્રમ યોજાશે.
તા.1લીના બુધવારે સવારે પાંચ વાગે મુમુક્ષુરત્નાનો દીક્ષા મહોત્સવ સ્થળમાં પ્રવેશ, સવારે પ.4પ કલાકે પ્રવ્રજયા વિધિનો પ્રારંભ થશે અને મુમુક્ષુરત્ના કુમારી પ્રાચી દીક્ષા ગ્રહણ કરીને વીર પ્રભુના માર્ગે પગલા ભરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy