(દીનેશ જોષી) કોડીનાર, તા.29
પાકિસ્તાનની લાડી જેલમાં કેદ ગીર સોમનાથનાં માછીમારે માદરે વતન પત્ર લખી જેલની આપવીતી કહી.ભારતીય માછીમારોની સ્થિતિ વર્ણવતો પત્ર વાચી માછીમાર મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી.પાક જેલમાં બંધ ભારતીય માછીમારોની દયનિય પરિસ્થિતી.
પાકિસ્તાનની લાડી જેલમાં ભારતનાં આશરે 175 થી વધારે માછીમારો કેદ છે.જેમાં મોટા ભાગના માછીમારો ગીર સોમનાથ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોનાં છે.આ માછીમારો પૈકી અનેક માછીમારો ચાર વર્ષ તો કોઈ એક વર્ષ થી કેદ છે.આ માછીમાંરોમાં કોડીનારનાં કોટડા ગામનાં 13 માછીમારો કરાચીની લાડી જેલમાં છે.જે પૈકીનાં મુકેશ નામના માછીમારે પત્ર લખી પોતાના પરિવારને વોટ્સએપ નાં માધ્યમથી મોકલ્યો છે.પત્રમાં કરાચી ની લાડી જેલમાં ભારતીય માછીમારોની જે દુર્દશા છે તે વાંચી પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા અને ચિંતિત બન્યા છે.
પાક જેલમાં બંધ ભારતીય માછીમારે લખેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે જોઈએ તો.વર્ષ 2021 થી 53 માછીમારો, વર્ષ 2022 થી 56 માછીમારો અને વર્ષ 2023 થી 36 માછીમારો પાક જેલમાં સબડી રહ્યા છે.
આમ છેલ્લા ત્રણ વર્ષમાં પાકે પકડેલા માછીમારો કરાચીની લાડી જેલમાં સબડી રહ્યા છે.જેને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી છે. ‘પાક જેલમાં બંધ માછીમારોને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ પણ મુક્ત નથી કરવામાં આવ્યા.અમેં જેલમાં ભૂખ હડતાળ પર બેઠા છે.અમને કોઈને મળવા નથી દેવાતા,કોઈ ઉચ્ચ અધિકારી જેલની મુલાકાતે આવે તો અમને છુપાવી દેવામાં આવે છે.અનેક લોકોને દિલની બીમારી છે.કોઈને માનસિક બીમારી છે તો બે માછીમારો એ સુસાઈડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.’ આવી અનેક વાતો પાક જેલમાં બંધ માછીમારે પોતાના પત્રમાં વર્ણવી છે.પાકિસ્તાન કોર્ટે 148 માછીમાંરોને સજા માફ કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.પરંતુ આજે એ વાતને 14 મહિના વીતી ગયા હોવા છતાં માછીમારોને મુક્ત કરવામાં આવતા નથી.અને છુપાવી રાખવામાં આવે છે.
જોકે આ સમગ્ર મામલે માછીમાર સમાજ સાથે જોડાયેલા એનજીઓ ચલાવતા બાલુભાઈ સોચાનું કહેવું છે કે, સવાલ એ છે કે 35 માછીમાંરો એક વર્ષ પહેલાં પકડાયા તેમને મુક્ત કરવાની વાત સામે આવી છે.પરંતુ ત્રણ વર્ષ પહેલા પકડાયેલા માછીમાંરોને કેમ મુક્ત ન કરાયા એ મોટો સવાલ છે...? શુ માછીમારોની ખરાઈ નહીં થઈ હોય..? ફાઈલો મિસપ્લેસ થઈ હશે..? ત્યારે હાલ પાકિસ્તાનથી મળેલા લેટરને લઇ માછીમાર પરિવાર ચિંતિત છે અને પ્રધાન મંત્રી મોદીને અપીલ કરી રહ્યા છે કે, પાક જેલમાં સબડતા માછીમાંરોને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy