સાલ 2025માં શનિ પોતાની સ્વરાશિ કુંભની યાત્રા પૂર્ણ કરીને મીન રાશિમાં ગોચર પ્રવેશ કરશે : કઇ કઇ રાશિને અસર ?

Dharmik | 27 April, 2024 | 10:37 AM
સાંજ સમાચાર

વૈદિક જયોતિષ શાસ્ત્ર અનુસાર જયારે પણ શનિ પોતાની રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ બારેય રાશિઓ પર રહે છે. શનિ ગ્રહ બધા ગ્રહોમાં સૌથી મંદ ગતિથી ચાલનાો ગ્રહ માનવામાં આવે છે. આ તકે રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. જેના કારણે જે રાશિઓ ઉપર શનિનો પ્રભાવ રહે છે તે લાંબા સમય સુધી રહે છે. 

વૈદિક જયોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને ન્યાયનો દેવતા માનવામાં આવેલ છે. તે વ્યકિતને કર્મને અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિ એક રાશિમાં બીજીવાર આવવા માટે લગભગ 30 વર્ષનો સમય લાગે છે.

વૈદિક જયોતિષ શાસ્ત્રને અનુસાર શનિ મહારાજ હાલ પોતાની મુળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને આખુ વર્ષ આ રાશિમાં રહેશે શનિ આગામી તા. 29મી માર્ચ 2025ના પોતાની સ્વરાશિ અને મુળ ત્રિકોણ રાશિ કુંભની યાત્રાને વિરામ આપીને ગુરૂની રાશિ મીનમાં પ્રવેશ કરશે. શનિ મહારાજ મીન રાશિમાં તા.2જી જુન 2027 સુધી રહેશે. શનિનું રાશિ પરિવર્તન થતા કેટલીક રાશિઓની સાડીસાતી પનોતી પૂર્ણ થઇ જશે. તેમ કેટલાક પર શરૂ પણ થઇ જશે અને પરેશાનીમાં વૃધ્ધિ થશે.

શનિ મહારાજનો મીન રાશિમાં ગોચર કરવાથી કઇ કઇ રાશિઓની મુશ્કેલીઓમાં વધારો થશે તેની વિગતો આપી છે. 

મેષ રાશિ
તા.29મી માર્ચ 2025ના શનિનું મીન રાશિમાં પરિવર્તન થતાં જ મેષ રાશિના જાતકોને સાડા સાતીનો આરંભ થઇ જશે. એવામાં શનિનું મીન રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત નહિ થાય. પરેશાનીમાં વધારો થાય અને આવકમાં ઘટાડો જોવા મળશે. કોઇપણ કામમાં સફળતા ઘણી મહેનત કર્યા પછી મળે.

વૈદિક જયોતિષ શાસ્ત્રની ગણના અનુસાર શનિ મેષ રાશિના જાતકોના બારમાં ભાવમાં બિરાજમાન થશે. મેષ રાશિના જાતકોને કરિયરમાં મુશ્કેલીઓનો સામનો પડી શકે છે. ઘરમાં કેટલાક સદસ્યોની સાથે તનાવ થઇ શકે છે અને સ્વાસ્થ્યમાં પણ મુશ્કેલી જોવા મળી શકે છે. ધન હાનિની પણ સંભાવના છે. શત્રુઓમાં વધારો જોવા મળે કોઇપણ કાર્ય કરતા પહેલા સોવાર વિચારીને પગલુ ભરવાનું રહેશે.

કર્ક રાશિ
સાલ 2025માં શનિનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે સારૂ ન કહી શકાય. કાર્યક્ષેત્રમાં દબાવનો સામનો કરવો પડે. આ રાશિના જાતકો પર શનિની ઢેય્યા ચાલી રહી છે. ધન હાનિ થઇ શકે છે. આર્થિક સ્થિતિ કમજોર બની શકે છે. જીવનમાં અનેક પ્રકારનો પડકારોનો સામનો કરવો પડે. જે લોકો ઉચ્ચ શિક્ષા મેળવતા હશે તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડે. 

કુંભ રાશિ
શનિના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડે. હાલ કુંભ રાશિના જાતકોને શનિની સાડા સાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. એવામાં આ રાશિના જાતકોને સતર્ક રહેવું પડશે. ખોટા ખર્ચામાં વૃધ્ધિ થાય. નોકરીયાતોને સંભાળીને ચાલવું પડશે. આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં પોતાના સહયોગીઓની સાથે કોઇપણ વાતને લઇને ચડભડ થવાની સંભાવના છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj