(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ તા. 23
ગોંડલ તાબેના વાસાવડ પેટા કચેરીના ખંધા કર્મચારીઓને તાત્કાલિક બરતફર કરવામાં નહીં આવે તો દેરડી (કું) ગામે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ એ પીજીવીસીએલ કચેરીને પત્ર લખી ચીમકી આપી હતી કે ગોંડલ તાબેના વાસાવડ ગામે પી.જી.વી.સી.એલ. ની પેટા કચેરી આવેલ છે. છેલ્લા ઘણા સમયથી કચેરી દ્વારા જ્યોતિ ગ્રામ કનેક્શન, ખેતીવાડી કનેક્શન માં મન ફાવે ત્યારે લાઇટ કનેક્શન કોઈને પણ જાણ કર્યા વિના કાપી નાખવામાં આવે છે.
હાલ સખત ગરમી નો માહોલ ચાલે છે લગ્ન પ્રસંગની સિઝન છે ત્યારે કંઈ પણ જોયા વિના મન ફાવે તેવું વર્તન કરી લાઈટ કાપી નાખવામાં આવે છે. બીજું અત્યારે ખેડૂતોની ખેતીમાં ઓરવણી કરવાની સિઝન ચાલુ છે. ખેડૂત 24 કલાક ટીસીની સામું જોઈ બેસી રહે છે. અને કર્મચારીના પેટનું પાણી હલતું નથી. તેમજ પ્રિ-મોન્સુન કામગીરીમાં પણ કોઈપણ જાતના કામ કરવામાં આવેલ નથી. ફક્ત બે છાંટા વરસાદ પડે ત્યા લાઈટ કાપી નાખવામાં આવે છે, અને જ્યારે મન થાય ત્યારે ફરી ચાલુ કરે છે.
આવા ખંધા કર્મચારી કે કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક બદલી કરવામાં કે છૂટા કરવામાં નહીં આવે તો તા. 25 ના રોજ દેરડી (કું) ગામે રસ્તા રોકો આંદોલન કરીશું તેવી ચીમકી તાલુકા ના ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ દ્વારા ઉચારવામાં આવી છે જે અંગેની લેખિત જાણ ગીતાબા જાડેજા ધારાસભ્ય ગોંડલ, ડે.કલેકટર ગોંડલ, મામલતદાર (ગ્રામ્ય) ગોંડલ, કાર્યપાલક ઇજનેર (ગ્રામ્ય) ગોંડલ ને પણ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy