રાજકોટ,તા.23
યોગકક્ષા ફાઉન્ડેશન સ્વસ્થ ભારત સશકત ભારત અભિયાન હેઠળ સર્વે ભારત વાસીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે અને ભારતનો નાગરિક યોગ, આયુર્વેદ તેમજ નૈસર્ગિક ઉપચારની પદ્ધતિ તરફ વળે તે માટે દરેકને ગૌમુત્રના અર્કના નિ:શુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.જેમાં સદયોગ મળેલ છે. જેમાં દરેક વ્યકિતને રોગ અનુસાર અર્કની માત્રા તેમજ ગૌમુત્રના અર્કનું સેવન કોણે કરવું અને કોણે ન કરવું તેની તમામ માહિતી યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે.ગૌમુત્રના અર્કના સેવન માત્રથી અનેક પ્રકારના શારીરિક રોગોથી મુકિત મેળવી શકાય છે. દરરોજ સવારે 10 થી 1 દરમ્યાન યોગકક્ષા ફાઉન્ડેશન રાધેકિષ્ના 1/4 પૂનમ સોસાયટી, પટેલ બોર્ડીંગ પાસે મવડી પ્લોટ રાજકોટ ખાતે વિતરણ કરવામાં આવે છે.આ કાર્યમાં યોગ કક્ષા ફાઉન્ડેશનના પ્રમુખ વિશાલભાઈ સોજીત્રા, યોગ ગુરૂ, કિશોરભાઈ પઢીયાર, ટ્રસ્ટી નિશાબેન ઠુમર, સભ્ય નયનાબેન પીપડીયા, નિમિશાબેન આહિર, અંજુબેન પટેલ સંગીતાબેન ખારેચા, હર્ષાબેન વસોયા જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy