જામનગર,તા.27
લોકસભાની ચૂંટણીની અસર સરકારી કચેરીઓમાં પડી હોય તેના કારણે અરજદારોની અવરજવર પાંખી જોવા મળી રહી છે. જાણે વહીવટી તંત્ર આખું ચૂંટણીની કામગીરીમાં લાગી ગયું હોય તેમ સરકારી કચેરીઓ ખાલી ખાલી ભાષી રહી છે.
એક સમયે અરજદારોથી ધમધમતી કચરીઓએ ઓછા લોકો જોવા મળે છે. શું અરજદારોના વહીવટી પ્રશ્નો ઉકેલાય ગયા? કે પછી લોકસભાની ચૂંટણીની આચારસંહિતના કારણે સરકારી કામકાજ ઠપ્પ થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.
જામનગરની જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા પછી મહેસુલ ભવન કે અન્ય સરકારી કચેરી દૈનિક અરજદારોની ખૂબ જ અવરજવર રહેતી હતી. પરંતુ લોકસભાની ચૂંટણીની આચાર સહિતા લાગુ પડી કે અરજદારોની સંખ્યામાં ખૂબ નોંધપાત્ર ઘટાડો થયો તેનું કારણ ગમે તે હોય પરંતુ સરકારી કચેરીમાં માત્ર સરકારી બાબુ જોવા મળે છે.
એટલું જ નહીં રાજકીય પક્ષઓના આગેવાનો અને કાર્યકરો ચૂંટણીના પ્રચાર માં લાગી ગયા છે. બીજું પદાધિકારીઓ પણ આચાર સહિતાની અમલવારીનો અમલ કડક રીતે કરી રહ્યા છે.જેથી અરજદારો પણ આવવાનું ટાળી રહયા હોય તો નવાઈ નહિ. કારણ ગમે તે હોય પરંતુ સરકારી કામકાજમાં હવે લોકોની અવરજવર ચૂંટણીના મતદાન કે પરિણામ પછી ફરી ગતિ આવે તેવું જાણવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy