નવી દિલ્હી: દિલ્હીના શરાબકાંડમાં ધરપકડ સામે સુપ્રીમમાં પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ઈડીએ દાખલ કરેલા સોગંદનામાનો જવાબ રજુ કરતા આક્ષેપ કર્યો હતો કે ઈડીએ જે વ્યક્તિઓને તેની સામે જુબાની આપનાર તરીકે રજુ કર્યા છે તે તમામ ચારને ભાજપ સાથે સંબંધ છે અને જેલહવાલે એજન્ટની માહિતી લખી છે કે તેમની પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી છે.
જેને ઈડીએ પોતાના પુરાવા તરીકે રજુ કરી છે. તેઓએ ચારેય સાક્ષીઓના ભાજપ સાથે સંબંધો ખુલ્લા કર્યા અને જણાવ્યું કે ભાજપના સાથી પક્ષના લોકસભાના ઉમેદવાર શ્રીનિવાસ રેડ્ડીએ તેમની સામે જુબાની આપી છે.
ભાજપને રૂા.60 કરોડનું ભંડોળ આપનાર શરથ રેડ્ડી છે. ત્રીજા ગોવા ભાજપના સિનીયર નેતા અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નજીકના સભ્ય છે અને ગોવાના મુખ્યમંત્રીના કેમ્પેન એજન્ટનું નિવેદન છે.
તેઓએ કહ્યું કે, કોઈ નાણાકીય કે મિલ્કત જે આ કહેવાતા કૌભાંડમાં નાણામાંથી ખરીદી હોય તેની રીકવરી થઈ નથી. ફકત સાક્ષીઓના નિવેદનથી જ ધરપકડ થઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy