(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.29
ઈલેકટ્રોનિક સીગારેટના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા ધોરાજીની કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.
આ અંગેની વિગતો મુજબ ધોરાજીના રહેવાસી અલતાબભાઈ ગફારભાઈ જલીયાવાલા ધોરાજીના ચુનારાપા રોડ પર પોતાની ફર્સ્ટ ક્ધઝયુમર નામની દુકાનમાં ઈલેકટ્રોનિક સિગારેટનો જથ્થો રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે મતલબની ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ. જેન આધારે આરોપી પર ગુન્હાનો કેસ થયેલ તે જેમાં આરોપી ધોરાજીની કોર્ટ સમક્ષ સદર ફરિયાદની તપાસને અંતે ચાર્જશીટ રજુ થતા. સદર કેસ કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપી પક્ષેથી ધોરાજીના વકીલ મનસુખલાલ એસ. ગુજરાતીએ ફરિયાદ પક્ષના સાહેદો તેમજ સાક્ષીઓની વિસ્તૃત ઉલટ તપાસ લીધેલ.
આ ઉલટ તપાસમાં ફરિયાદ પક્ષ પોતાની ફરિયાદને નિશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા અને આરોપી પક્ષની રજુઆતો અને ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી ધોરાજી કોર્ટના જજ પી.બી.ગામીતે આરોપીને નિર્દોષ ઠેરવીને છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી તરફેથી વકીલ મનસુખલાલ એસ.ગુજરાતી રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy