(સલીમ પતાણી દ્વારા), કોટડાસાંગાણી,તા.29
કોટડાસાંગાણી તાલુકા મા ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મ રથ યાત્રા ફેરવવામાં આવી રહી છે જેમાં ઠેર ઠેર થી ધર્મર રથ યાત્રા નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કોટડાસાગાણી માં ધર્મર રથ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ
આ ધર્મ રથયાત્રા સરદાર ચોકમાં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જેમાં દરેક સમાજના લોકોએ આ ધર્મ યાત્રામાં જોડાયેલ જેમાં માલધારી સમાજના આગેવાનો દલિત સમાજના આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકરો આ ધર્મ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર ફૂલહાર પહેરાવીને ધર્મ યાત્રા આગળ વધારવામાં આવેલ જે ધર્મ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલ આ ધર્મ યાત્રા સરદાર ચોક માં રોકાણ કરવામાં આવેલ હતું જેમાં યોગરાજસિંહ જાડેજા એ પોતાનું પ્રવચન કરવામાં આવેલ તે પ્રવચનમાં જણાવેલ કે ક્ષત્રિય સમાજને અન્યાય કરવામાં આવેલ જે અન્યાય મહિલાઓ વિશેષ ટિપ્પણી કરવામાં આવેલ એમાં ક્ષત્રિય સમાજ મહિલાઓ અન્ય પણ મહિલાઓને સમાજને ઠેસ પહોંચાડવામાં આવેલ જેના સામે સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવેલ આવી તાનાશાહી સામે અમારી લડત ચાલુ રાખવામાં આવે છે અને અન્ય સમાજ પણ અમોને સમર્થન આપી રહ્યું છે.
વધુમાં યોગરાજસિંહ જાડેજાએ જણાવેલ આવતા દિવસોમાં કોઈપણ સમાજ નાનો હોય તેને પણ અન્યાય થશે તો અન્ય સમાજને પણ ક્ષત્રિય સમાજ નો ટેકો આપવામાં આવશે કોઈપણ સમાજને ખોટી રીતે અન્યાય કરવામાં આવશે તોપણ ક્ષત્રિય સમાજ તેની બાજુમાં ઊભા રહેશે કોટડાસાંગાણી ના ક્ષત્રિય સમાજ ના આગેવાન યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં દરેક સમાજના લોકો આગેવાનો મોટી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy