(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.23
અંધેરી નગરી અને ગાંડું રાજા જેવો નગરપાલિકા નો વહીવટ છે થોડા દિવસ પેહલા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા પાંચ કર્મચારીઓને મહાનગરપાલિકા થતી હોય તેના માટે જનરલ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા તેમાં કાયમી કર્મચારી સાથે અન્યાય થયો છે એમાં એવું છે કે એન્યું એલ એમના કર્મચારી હિતેશ રામાનુજ જે એબી એન્ટરપ્રાઇઝ એજન્સીનો કર્મચારી છે તેને જનરલ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યો આ કેટલા અંશે વ્યાજબી કહેવાય એની સામે અનેક કાયમી કર્મચારીઓ જેવો મહાનગરપાલિકાનો અનુભવ એમને કરવાનો છે.
ટ્રેનિંગ એમને લેવાની છે તેઓ કાયમી કર્મચારી છે એવા અનેક કર્મચારીઓને છ વર્ષથી 15 વર્ષ સુધીની નોકરી બાકી છે તેવા કર્મચારીઓને પડતા મૂક્યા અને આવા પોતાના માનીતા કર્મચારીને ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યો આ કેવી રીતે ચાલે મહાનગરપાલિકામાં એન્યુ એલ એમ અને નગરપાલિકાનું બંનેનું સરખું જ હોય તેમાં કોઈ ટ્રેનિંગ લેવાની જરૂર નથી તેમાં બંનેમાં સરખું જ છે તો આવા એજન્સીના કર્મચારીને મોકલવાની શું જરૂર હતી?
કેમ કોઈએ વિરોધ ન કર્યો આવી રીતે કર્મચારીમાં શરૂ થયો છે કાયમી કર્મચારીઓ પડ્યા રહ્યા અને આવા એજન્સીના કર્મચારીને ટ્રેનિંગ આપવામાં આવે છે ખરેખર ગાંધીનગર ખાતેથી એવો જ આદેશ થવો જોઈએ કે કાયમી કર્મચારીઓના જ ઓર્ડર નીકળવા જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy